કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગથી 4 દીપડાના મોત
યશવંતપુર વિસ્તારમાં બનેલી ઘટનાથી વન્યજીવ સંરક્ષણ અંગેની કામગીરી પર ગંભીર સવાલ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
કર્ણાટકના બેંગલુરુના ગ્રામીણ વિસ્તારમાં ગેરકાયદે બ્લાસ્ટિંગની ગંભીર ઘટનામાં ચાર દીપડાના મોત થતાં ચકચાર મચી છે. જેમાં એક ગર્ભવતી માદા દીપડાનો પણ સમાવેશ થાય છે. યશવંતપુરના મંચનાબેલે પાસેના ચિક્કનહલ્લી વિસ્તારમાં બનેલી ઘટનાએ વન્યજીવ સંરક્ષણ અને વહીવટીતંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દીપડાઓના મૃતદેહો ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના બાદ રાજકીય અને વહીવટી સ્તરે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
યશવંતપુરના ભાજપના ધારાસભ્ય એસ.ટી. સોમશેખરે ઘટના પર આક્રોશ વ્યક્ત કરતા વન વિભાગ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સતત વન્ય જીવોના મૃત્યુની ઘટનાઓ બની રહી હોવા છતાં વિભાગ નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું છે.
તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે બ્લાસ્ટિંગ ચાલી રહ્યું છે અને સંબંધિત મંત્રીઓ તથા અધિકારીઓ ઉદાસીનતા દાખવી રહ્યા છે. ધારાસભ્યએ એવો પણ દાવો કર્યો કે તેમણે આ મુદ્દે વન મંત્રીનો સંપર્ક કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યો. પરંતુ તેમના ફોનનો કોઈ જવાબ મળ્યો નથી.
ભાજપના ધારાસભ્યએ જણાવ્યું કે, આ ઘટનાને લઈને વન વિભાગને એક ઔપચારિક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદે બ્લાસ્ટિંગ પર તાત્કાલિક રોક લગાવવા, દોષિતોને ઓળખી કાઢવા અને દીપડાઓના મોત માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. આ મામલો રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને વહીવટી જવાબદારી પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કરે છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.