હુરુન રિચ લિસ્ટમાં 31 વર્ષનો ભારતીય યુવા અબજોપતિ
પરપ્લેક્સિટી AIના ફાઉન્ડર અરવિંદ શ્રીનિવાસે 21,190 કરોડની સંપત્તિ સાથે ડેબ્યૂ કર્યું.

અરવિંદ શ્રીનિવાસેની બિલિયોનેર ક્લબમાં એન્ટ્રી

અરવિંદ શ્રીનિવાસેની બિલિયોનેર ક્લબમાં એન્ટ્રી
M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 (M3M Hurun India Rich List 2025) જાહેર થઈ ગઈ છે અને આ વખતે તામિલનાડુના ચેન્નાઈમાં જન્મેલા અરવિંદ શ્રીનિવાસનું નામ આ યાદીમાં સૌથી મોટી સરપ્રાઇઝ એન્ટ્રી છે. ગૂગલના 'જેમિની' અને ઓપનAIના 'ચેટજીપીટી' જેવા દિગ્ગજોને ટક્કર આપતા AI સર્ચ એન્જિન 'પરપ્લેક્સિટી' (Perplexity)ના સ્થાપક શ્રીનિવાસ માત્ર 31 વર્ષની ઉંમરે આ યાદીમાં સ્થાન મેળવનાર ભારતના સૌથી યુવા અબજોપતિ બન્યા છે.
21,190 કરોડની સંપત્તિ સાથે ડેબ્યૂ
અરવિંદ શ્રીનિવાસે ₹21,190 કરોડની સંપત્તિ સાથે બિલિયોનેર ક્લબમાં એન્ટ્રી કરી છે. ટેક્નોલોજી ક્ષેત્રમાં તેમની આ ઝડપી સફળતા વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉભરતા ક્ષેત્રમાં ભારતીય પ્રતિભાના વધતા પ્રભાવને દર્શાવે છે.
શ્રીનિવાસની આ સંપત્તિનો આધાર તેમની કંપની પરપ્લેક્સિટી AI છે, જેણે AI ડોમેનમાં એક પાયાનું મોડેલ બનાવ્યું છે. આ કંપની વૈશ્વિક સ્તરે OpenAI, Google, Meta અને Microsoft જેવી મોટી કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરી રહી છે.
વૈશ્વિક સ્પર્ધામાં ભારતીય AIનો દબદબો
શ્રીનિવાસના નેતૃત્વ હેઠળ, પરપ્લેક્સિટી AIને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી AI કંપનીઓમાંની એક તરીકે ઓળખવામાં આવી છે. કંપનીએ તાજેતરમાં ભારતી એરટેલ સાથે એક મોટી ડીલ કરી છે, જેનાથી લાખો ભારતીયોને પરપ્લેક્સિટીની પ્રો સબસ્ક્રિપ્શન સુવિધાઓનો મફત ઍક્સેસ મળ્યો છે. આ ભાગીદારીએ ચેટજીપીટીના મોનોપોલીને પડકાર આપીને ભારતમાં AIના પ્રસારને વેગ આપ્યો છે.
પરપ્લેક્સિટી હાલમાં વિશ્વભરમાં 30 મિલિયનથી વધુ સક્રિય યુઝર્સ ધરાવે છે અને વર્ષ 2025ના મધ્ય સુધીમાં તેનું મૂલ્યાંકન 18 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે.
અરવિંદ શ્રીનિવાસની શૈક્ષણિક યાત્રા ચેન્નાઈથી શરૂ થઈ. તેમણે IIT મદ્રાસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડબલ ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી કમ્પ્યુટર સાયન્સમાં AI અને મશીન લર્નિંગના વિશેષજ્ઞ તરીકે PhD પૂર્ણ કર્યું.
2022માં પરપ્લેક્સિટીની સ્થાપના કરતા પહેલાં, શ્રીનિવાસે OpenAI, Google અને DeepMind જેવી અગ્રણી AI કંપનીઓમાં સંશોધન હોદ્દા પર કામ કર્યું હતું. પરપ્લેક્સિટી, જેણે ડેનિસ યારાટ્સ, જોની હો અને એન્ડી કોન્વિન્સ્કી સાથે મળીને સ્થાપના કરી, તે ગૂગલને ટક્કર આપતા, માત્ર લિંક્સને બદલે ડાયરેક્ટ અને સોર્સ સાથેના જવાબો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
શ્રીનિવાસ કંપનીની સ્વતંત્રતા જાળવી રાખવા પ્રતિબદ્ધ છે અને Apple તથા Meta જેવી કંપનીઓના એક્વિઝિશનના રસ છતાં ૨૦૨૮ પછી IPO લાવવાની તેમની યોજના છે. તેમનો આ ઉદય સ્પષ્ટ કરે છે કે ભારતીય પ્રતિભા હવે વૈશ્વિક ટેક્નોલોજી ક્ષેત્રે નવી સંપત્તિનું સર્જન કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...