ઉપવાસ એટલે ફરાળી ફૂડની ફેશન? તે ખાવું કેટલું યોગય
ઉપવાસમાં ફરાળી ફૂડ તંત્રને આરામ આપવાને બદલે નુકસાન કરે છે
ઉપવાસમાં આ વસ્તુઓ ખાતાં પહેલા ચેતી જજો
ઉપવાસમાં આ વસ્તુઓ ખાતાં પહેલા ચેતી જજો
ફરાળી ફૂડ વધારે ફેટ અને કાર્બ ધરાવે છે, જેનાથી વજનમાં વધારો થઈ શકે છે. તળેલા ખોરાકથી હાજમણાંમાં ગડબડ થાય છે અને પેટ ભારે-ભારે રહે છે. સાબુદાણા, બટાકા અને મીઠાવાળા ખોરાક બ્લડ શુગરને તાત્કાલિક વધારતાં હોય છે, જે ડાયાબિટીસવાળાઓ માટે જોખમકારક છે. મસાલેદાર અને તળેલા ખોરાકથી ઉપવાસ દરમિયાન એસીડીટી અને ગેસ થઈ શકે છે. 20વધારે મીઠું અને તળેલું લેવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.
ઉપવાસમાં શું ખાવું જોઈએ?
ઉપવાસનો હેતુ શુદ્ધતા અને પાચનતંત્રને આરામ આપવાનો છે. તેથી ખાવું એટલું જ ખાવું કે જેથી શરીરને પોષણ મળે, હળવાશ રહે અને શક્તિ ટકી રહે. આ માટે ડાયેટિશિયન અને આયુર્વેદ તજજ્ઞોના જણાવ્યા મુજબ નીચેના ખોરાક ઉપયોગી છે. પપૈયા, કેળા, જામફળ, દ્રાક્ષ, નાસપતી, સીતાફળ વગેરે ફળો ખાવા જોઈએ. દૂધ અને દહીં એ પ્રોટીન માટેનો સારો સ્ત્રોત છે.
ઘી કે ઓલિવ ઓઈલમાં હળવાં તળેલા મખાના એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. સાબુદાણા મર્યાદિત માત્રામાં અને ઘી કે તેલના ઉપયોગ વગર ખાવા જોઈએ. શેકેલા શીંગદાણા પણ ખાઈ શકાય. હાઇડ્રેશન માટે ઉત્તમ નારિયેળનું પાણી અને લીંબુ પાણી અતિ ઉત્તમ રહેશે.
આરોગ્યદાયક ફરાળી વાનગીઓમાં મખાના પુલાવ, મૌરેયાની ખીચડી, શીંગદાણા અને કોથમીર ચટણી, ફ્રૂટ સલાડ, કેળાંના પાનના પરોઠા, ફળોથી બનેલી સ્મૂધી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકરાક માનવામાં આવે છે.
ફરાળી વાનગીઓનો આ લહેજો જો ઠીક રીતે નિયંત્રિત ન થાય તો ઉપવાસના સ્વાસ્થ્યલક્ષી હેતુ મળતા નથી. આજકાલ લોકો ઉપવાસને માત્ર રિવાજ તરીકે નહીં પણ ‘ફૂડ ફેસ્ટિવલ’ તરીકે માણી રહ્યા છે. જેની આરોગ્ય પર ઘાતક અસરો પડી શકે છે. જો આપણે ઉપવાસમાં ખરેખર શુદ્ધતા અને સારૂં સ્વાસ્ય ઈચ્છતા હોઈએ તો ફરાળી નહીં પરંતુ સંતુલિત અને પોષણયુક્ત ઉપવાસ ડાયેટ અપનાવવી જોઈએ.
DCGIએ QDENGA રસીને આપી મંજૂરી,4થી 60 વર્ષના લોકો માટે નવી આશા

ડાયાબિટીસ,BP અને હાર્ટના દર્દીઓને મળશે સસ્તી દવાઓ,સરકારે 39 દવાઓના ભાવ નક્કી કર્યા

સ્વિગીને FSSAIએ ફટકારી 9 નોટિસ, ગ્રાહકોને સડેલા ઇંડા,બગડેલું દૂધ અને એક્સપાયર્ડ ફૂડ આપ્યું