ગ્રીન ફટાકડાં એટલે શું?
ગ્રીન ફટાકડાં પરંપરાગત ફટાકડાં કરતા 25-30% ઓછું પ્રદૂષણ ફેલાવે અને કિંમત દોઢથી બેગણી હોય

ગ્રીન ફટાકડા

ગ્રીન ફટાકડા
દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાં ફોડવાથી થતા પ્રદૂષણ વિશે હંમેશા વિવાદ થતો રહે છે. આ વિવાદો વચ્ચે, સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હી NCRમાં ગ્રીન ફટાકડાંના વેચાણ અને ઉપયોગને મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવાઈ અને ન્યાયમૂર્તિ વિનોદ ચંદ્રનની ખંડપીઠે આદેશ આપ્યો કે, 18 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ગ્રીન ફટાકડાંના વેચાણને મંજૂરી આપવામાં આવશે.
પરંપરાગત ફટાકડાં કરતાં પર્યાવરણને ઓછું નુકસાન
જોકે, ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે, ગ્રીન ફટાકડાં શું છે, તે સામાન્ય ફટાકડાંની તુલનામાં કેટલા મોંઘા હોય છે અને શું તે ખરેખર ઓછું પ્રદૂષણ ફેલાવે છે? નિષ્ણાતોના મતે, ગ્રીન ફટાકડાં પરંપરાગત ફટાકડાં કરતાં પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે, કેમ કે તે ફોડતી વખતે ઓછો અવાજ અને ધુમાડો ફેલાય છે, જેનાથી હવા અને ધ્વનિ પ્રદૂષણ બંને ઘટે છે.
ગ્રીન ફટાકડાંની બનાવટ અને ઓળખ
ગ્રીન ફટાકડાંનું મહત્ત્વનું પાસું તેની બનાવટ છે. આ ફટાકડાંમાં ઍલ્યુમિનિયમ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર જેવા હાનિકારક રસાયણોની માત્રા ખૂબ જ ઓછી હોય છે અથવા બિલકુલ હોતી નથી. ખાસ કરીને, લીલો રંગ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતો બેરિયમ પદાર્થ ગ્રીન ફટાકડાંમાં હોતો નથી, જ્યારે પરંપરાગત ફટાકડાં કાળા પાવડર, ક્લોરેટ્સ અને પર્ક્લોરેટમાંથી બનાવવામાં આવે છે.
આ પણ વાંચો: દિલ્હીમાં દિવાળી પર ગ્રીન ફટાકડાં જ ફોડી શકાશે
ગ્રીન ફટાકડાંમાંથી 25થી 30 ટકા ઓછા ખતરનાક ગેસ ઉત્પન્ન
એક્સપર્ટ્સનો દાવો છે કે, ગ્રીન ફટાકડાંમાંથી 25 થી 30 ટકા ઓછા ખતરનાક ગેસ ઉત્પન્ન થાય છે. આ ગ્રીન ફટાકડાંની શોધ CSIR-NEERI દ્વારા કરવામાં આવી હતી. ગ્રીન ફટાકડાંની ઓળખ CSIR-NEERIના ગ્રીન લોગો અને પેકેટ્સ પરના એન્ક્રિપ્ટેડ QR કોડ દ્વારા કરી શકાય છે, જેને સ્કેન કરીને તેની ખરાઈ પણ કરી શકાય છે.
કિંમત અને અવાજ
જ્યારે અવાજની વાત આવે છે, ત્યારે સામાન્ય ફટાકડાં 160 ડેસિબલ સુધીનો અવાજ કરે છે, જ્યારે ગ્રીન ફટાકડાંનો અવાજ 110 થી 125 ડેસિબલ સુધીનો હોય છે. ગ્રીન ફટાકડાંમાં પેન્સિલ, તારામંડળ, કોઠી અને ચકેડી જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. કિંમતની તુલના કરીએ તો, ગ્રીન ફટાકડાં બનાવવા માટે ખાસ સામગ્રી અને પ્રક્રિયાનો ઉપયોગ થતો હોવાથી, તેની કિંમત સામાન્ય ફટાકડાંની તુલનામાં દોઢ ગણીથી બમણી વધારે હોય છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે, ફટાકડાં સાંજે 6 થી 10 વાગ્યા દરમિયાન જ ફોડી શકાશે. કોર્ટે પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ ટીમો બનાવવાનો નિર્દેશ આપ્યો છે જે ફક્ત ક્યૂઆર કોડવાળા ઉત્પાદનો વેચાય છે તેના પર નજર રાખશે. આ ઉપરાંત, કોર્ટે ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા ફટાકડાં સપ્લાય કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!