બંધ કરો સ્મશાનની કામગિરી..ભાજપની છબીને નુકશાન..ધારાસભ્ય બગડ્યા
વડોદરા શહેરમાં 31 સ્મશાનોને ખાનગી સંસ્થાઓને સોંપાયા બાદ મામલો ગરમાયો

વડોદરા શહેરમાં 31 સ્મશાનોને ખાનગી સંસ્થાઓને સોંપાયા બાદ મામલો ગરમાયો

વડોદરા શહેરમાં 31 સ્મશાનોને ખાનગી સંસ્થાઓને સોંપાયા બાદ મામલો ગરમાયો
વડોદરા શહેરમાં 31 સ્મશાનોને ખાનગી સંસ્થાઓને સોંપાયા બાદ મામલો ગરમાયો છે અને લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિ.કમિશનરને પત્ર લખીને સ્મશાનોની કામગિરી આઉટસોર્સિંગથી વિવિધ સંસ્થાઓ પાસેથી કરાવવાની કામગિરીમાં ફરીથી વિચારણા કરવા અને તે દરમિયાન આ ઠરાવનો અમલ સ્થગિત કરવા જણાવ્યું છે. સ્મશાનોમાં આઉટસોર્સિંગનો અમલ પણ શરુ થઇ ગયો છે ત્યારે ધારાસભ્ય અત્યાર સુધી મૌન કેમ હતા તે સવાલ પુછાઇ રહ્યો છે
ધારાસભ્ય યોગેશ પટેલે કમિશનરને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે શહેરના 31 સ્મશાનોની કામગિરી આઉટસોર્સિંગથી સંસ્થાઓ પાસે કરાવવા બાબતની દરખાસ્તને કમિશનરે સ્થાયી સમિતીમાં મંજૂરી અર્થે રજૂ કરી હતી. જે 2 વર્ષ માટે કામગિરી કરાવવાની અને સારી કામગિરી થાય તો વધુ 1 વર્ષ આજ સંસ્થાઓ પાસે કામગિરી કરાવાની ભલામણ કરવામાં આવી હતી. જેનો અમલ ઠરાવ થવાના ત્રણ મહિના પછી કરાયો છે. આ ઠરાવના અમલથી લોકોમાં બહુ ગેરસમજ ઉભી થઇ છે.
ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ આજે સ્મશાનોનું કામ સારી રીતે કરી રહી છે. ત્યારે આઉટસોર્સિંગથી કામગિરી કેમ કરાવવી તે અંગે નાગરિકોના ઘણા પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે. સામાન્ય રીતે મૃત્યુ પછીની થતી ક્રિયા બાબતે નાગરિકોની અંગત લાગણી પણ જોડાયેલી છે ત્યારે તેમાં કોઇ ફેરફાર થાય તો નાગરીકોની લાગણીને ઠેસ પહોંચી રહી છે. અને સ્વાભાવિક રીતે ભાજપનું શાસન મહાનગરપાલિકામાં હોય અને તેના દ્વારા નિર્ણય લેવાયેલો હોય ત્યારે પક્ષની છબી ને નુકશાન થઇ રહ્યું છે તે જોતાં આ સંદર્ભે કમિશનર સાથે ટેલિફોનીક ચર્ચા કરી છે અને માંગણી કરી છે કે આઉટસોર્સિંગનો જે ઠરાવ થયો છે તે બાબતની પુન વિચારણા કરવી જોઇએ અને ત્યાં સુધી ઠરાવનો અમલ સ્થગિત કરવો જોઇએ.
આ પણ વાંચો---
ચારેય કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ પેન્શન તથા પગાર બંને મેળવતા હોવાનો ખુલાસો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!