Amreli: શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી,ગેટને તાળું મારી ઘરે જતા 4 વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા!
શાળાના ગ્રાઉન્ડમાં ચાર વિધ્યાર્થીઓ એક કલાકથી ફસાયા હતા.

વિધ્યાર્થી એક કલાકથી વધારે સમય ત્યાં ભૂખ્યા તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં ઊભા રહ્યા હતા

વિધ્યાર્થી એક કલાકથી વધારે સમય ત્યાં ભૂખ્યા તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં ઊભા રહ્યા હતા
સરકારની નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમાં આજથી બેગલેસ ડે શરૂ કરાયું છે.આ નિયમમાં દરેક વિધ્યાર્થીઓને બેગ વગર શાળાએ આવાનું રહેશે. અમરેલી જિલ્લાના ખાંભા પે.સેન્ટર કુમાર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. શિક્ષકો શાળાના ગેટ પર તાળા મારીને ઘરે જતાં રહ્યા હતા.શાળાના ગ્રાઉન્ડમાં ચાર વિધ્યાર્થીઓ એક કલાકથી ફસાયા હતા.
શું હતો સમગ્ર મામલો :
માહિતી અનુસાર, પે.સેન્ટર કુમાર શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. શિક્ષકો શાળાના ગેટ પર તાળા મારીને જતાં રહેતા ચાર વિધ્યાર્થી ફસાયા હતા. આજે શનિવાર હોવાથી શાળા 11 વાગે છૂટી જતાં વિધ્યાર્થી ઘરે ન આવતા વાલીઓને ટેન્સન થતાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા.વિધ્યાર્થી એક કલાકથી વધારે સમય ત્યાં ભૂખ્યા તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં ઊભા રહ્યા હતા. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાતા ગેટનો દરવાજો ખોલીને વિધ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.
હજારો વિધ્યાર્થી આજથી સ્કૂલ બેગ વગર જોવા મળ્યા હતા :
આજથી ગુજરાત સરકારના નવી શિક્ષણ નીતિ અનુસાર બેગલેસ ડેનો પ્રારંભ થયો છે.આજે હજારો વિધ્યાર્થીઓ બેગ વગર જોવા મળ્યા હતા. પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યોનું કહવું છે કે, વિધ્યાર્થીઓના સ્કૂલ બેગનું વજન અંદાજે દોઢથી બે કિલો હોય છે. જ્યારે ધો.3થી 4ના વિધ્યાર્થીઓની બેગનું વજન અંદાજે 3 કિલો હોય છે. ધો.6થી 8 વિધ્યાર્થીઓની બેગનું વજન અંદાજે કિલો હોય છે.વિધ્યાર્થીઓને સપ્તમાં એક દિવસ બેગના ભારથી મુક્તિ મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!