સુરત: ખાડી કિનારે ગેરકાયદે બાંધકામ દૂર કરાયા
50 થી વધુ બાંધકામ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી

ખાડીપુર અને તંત્ર સાથે સંકલનના અભાવે કામ અટકતું હતું

ખાડીપુર અને તંત્ર સાથે સંકલનના અભાવે કામ અટકતું હતું
સુરત પાલિકા તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી ખાડી કિનારાના દબાણની સાથે ખાડી કિનારા વાઈડીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન આજે વરાછા ઝોનના કરંજ વિસ્તારમાં ખાડી કિનારા પાસે આડેધડ ગેરકાયદે બનાવી દેવાયેલા 50 થી વધુ બાંધકામ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.સંખ્યાબંધ દબાણ દુર કરનારા હોવાના કારણે પાલિકા દ્વારા સિક્યુરીટી ગાર્ડ અને 150 થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત સાથે દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરતમાં લાંબા સમય બાદ ખાડી પુર અને તંત્ર સાથે સંકલનના અભાવે કામ અટકતું હતું. હાલ સંકલન થતા ખાડી કિનારાના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી શરૂ થઈ તે દરમિયાન આજે વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલા કરંજ વિસ્તારમાંથી ખાડી કિનારા પાસે સંખ્યાબંધ દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાલિકાની કામગીરી પહેલા ખાડી કિનારે દબાણ કરનારા મિલકતદારોએ હાઈકોર્ટે રીટ દાખલ કરી હતી. પાલિકા તંત્રએ આ રીટને રદ્દબાતલ કરી દેવામાં આવતા ડિમોલિશનની કામગીરી શુક્રવારે શરૂ કરી હતી. આ દબાણ દુર કરવામાં આવી ત્યારે તેવી શક્યતા હોવાથી આજે વહેલી સવારથી જ વરાછા ઝોનના અધિકારીઓ ખાડી કિનારે પહોચ્યા હતા. જ્યારે દબાણ દુર કરવામાં વિરોધ કરવામાં આવે ત્યારે એવી શક્યતા હોવાથી ડીસીપી, એસીપી અને પાંચ PI સહિત 150 પોલીસ જવાનોનો કાફલો ડીમોલીશન થવાનું હતું તે સ્થળે આવી ગયો હતો. ત્યાર બાદ કરંજ જવાહરનગર ખાતે 50 થી વધુ ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!