ગુજરાતમાં ભરઉનાળે માવઠું: ખેડૂતોની ફરી વધી ચિંતા
ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા 4 એપ્રિલ સુધી આગાહી; લાલપુર અને કચ્છમાં કરા સાથે વરસાદ

કચ્છમાં ભર ઉનાળે માવઠું

કચ્છમાં ભર ઉનાળે માવઠું
ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના ખેડૂતો પર ભરઉનાળે ત્રીજી વખત કમોસમી વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાતોની આગાહી મુજબ, રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં ગાજવીજ અને તેજ પવન સાથે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે. જામનગર અને કચ્છ સહિતના પંથકોમાં તો અત્યારથી જ કરા સાથે વરસાદ શરૂ થઈ જતાં ગ્રામ્ય જનજીવન પ્રભાવિત થયું છે.
ત્રણ શક્તિશાળી સિસ્ટમ એકસાથે સક્રિયહવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતના આકાશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ એમ ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. આ ભૌગોલિક ફેરફારને કારણે રાજ્યમાં ૪ એપ્રિલ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
જામનગરના લાલપુરમાં કરા સાથે તોફાની વરસાદઆજે બપોર બાદ જામનગર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. લાલપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
કરાનો મારો: લાલપુરના મોટી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સાથે મોટા પ્રમાણમાં કરા પડ્યા હતા. રસ્તાઓ પર કરાની સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ખેતીને નુકસાન: આ માવઠાને કારણે લાલપુર પંથકના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે આ વરસાદ અને કરા પડવાને કારણે ખેતીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
કચ્છ જિલ્લામાં પણ આજ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને ખાવડા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે. સરહદી વિસ્તારોમાં થયેલા આ માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલકો અને ખેડૂતો અત્યારે પોતાના પાકને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે.
નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહીહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના ખેડૂતોને સાવચેત કર્યા છે. તેમણે જણાવ્યું છે કે આગામી ૧૦ દિવસ એટલે કે ૧૨ એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા પડવાની વધુ શક્યતા છે. એટલું જ નહીં, તેમણે મે મહિનામાં પણ વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી છે, જે ઉનાળુ પાક માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.
અમદાવાદમાં ગરમીમાં આંશિક રાહતરાજ્યના પાટનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, વરસાદી સિસ્ટમ અને વાદળોને કારણે આગામી બે દિવસમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે પરંતુ બફારાનું પ્રમાણ વધી શકે છે.
ખેડૂતો માટે સૂચના: માર્કેટિંગ યાર્ડમાં રહેલા પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને ખેતરમાં કાપણી કરેલા પાકને તાડપત્રીથી ઢાંકી દેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. વારંવાર બદલાતા આ હવામાનને કારણે કૃષિ ઉત્પાદન પર માઠી અસર થવાની પૂરેપૂરી સંભાવના છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.