Ahmedabad: સામાન્ય વરસાદના કારણે રામોલની મદનીનગર શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી!
વરસાદ ચાલુ હોય તેવા સમયે આખુ શાળા સંકુલ તળાવમાં ફેરવાઈ જાય છે.

ઈજનેર દ્વારા શાળાના બે દરવાજા પાડીને વિધ્યાર્થીઓને આવા જવાનો રસ્તો બનાવી દીધો છે.

ઈજનેર દ્વારા શાળાના બે દરવાજા પાડીને વિધ્યાર્થીઓને આવા જવાનો રસ્તો બનાવી દીધો છે.
અમદાવાદની શહેરમાં અનુપમ અને સ્માર્ટ શાળાઓ બનાવવાની મ્યુનિસિપાલિટીની ગુલબાંગો વચ્ચે છેવાડાના વિસ્તારોમાં ચાલતી અનેક શાળાઓમાં બાળકો કફોડી હાલતમાં અભ્યાસ કરી રહ્યા છે.રામોલના જનતાનગરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળા વારંવાર બંધ રાખવાની ફરજ પડી રહી છે.જેના કારણે બાળકોના ભવિષ્ય સામે સવાલ પેદા થયો છે. વરસાદ ચાલુ હોય તેવા સમયે આખુ શાળા સંકુલ તળાવમાં ફેરવાઈ જાય છે.
ઠેર ઠેર વરસાદનો જોર એટલો બધો વધી ગયો છે.કે જેના કારણે અનેક જગ્યા પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યા તો જાણે નદીઓ ભરેલી જોવા મળી રહેતી હોય છે. થોડું પણ વરસાદ વરસી જતાં પાણી ભરાઈ જાય છે.જેના કારણે લોકોને હાલાકી થાય છે.નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરેલું જોવા મળતું હોય છે.તેવું જ પાણી અમદાવાદની એક શાળાની બહાર ભરેલું છે. જેના કારણે વિધ્યાર્થીઓને શાળાએ આવા માટે ઘણી બધી મુશ્કેલી વેઠવીને ભણવા આવું પડતું હોય છે.
રામોલના જનતાનગરમાં આવેલી મ્યુનિસિપાલિટી સંચાલિત મદનીનગર પ્રાથમિક શાળા સંકૂલમાં હાલ પ્રાથમિક શાળા ઉપરાંત તે શાળામાં આગણવાડી પણ ચાલે છે. ચોમાસું આવે એટલે શાળાના દરવાજાની બહાર પાણી ભરાઈ જાય છે. જેના કારણે ચાલીને જવું બાળકો માટે મુશ્કેલ પડે છે.અને જો બાળકો શાળામાં હોય અને વરસાદ વરસે તો બાળકોને બહાર લાવવા માટે ઘણી બધી જહેમત ઉઠાવી પડે છે. અને જો થોડું પણ વધારે વરસાદ વરસે તો શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ પણ રાખવામાં આવે છે.
પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે બાળકોના અભ્યાસમાં પણ ઘણી બધી અસર થઈ રહી છે. આવી ખરાબ હાલતના કારણે ચોમાસામાં ઘણા વાલીઓ પોતાના બાળકને શાળાએ મોકલવાનું ટાળતા હોય છે. જેના કારણે શાળામાં વિધ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાયે છે. અને બાળકોના ભણતર પર ઘણી અસર થાય છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે શાળાના કેમ્પસમાં ઝાડી- ઝાંખરા તેમજ તેની આસપાસ કાદવ કિચડના સામ્રાજયને લીધે મચ્છરો અને જીવજંતુઓના ઉપદ્રવ વધતાં બાળકોમાં રોગચાળાનો ભોગ બને તેવી શક્યતા પેદા થઈ રહી છે.
વધુ વરસાદ હોવા છતાં એક પણ દિવસ શાળા બંધ રહી નથી:
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના મુખ્ય અધિકારી ડો.એલ.ડી.દેસાઈએ સ્વીકાર કર્યો હતો કે, ચોમાસામાં વધુ વરસાદ આવે ત્યારે શાળાના ગેટની આસપાસ વરસાદી પાણી ભરાઈ જાય છે. પરંતુ તેમણે દાવો કર્યો હતો કે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે શાળામાં એક પણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું નથી. શાળા નીચાણવાળા ભાગમાં આવેલી છે.અને શાળાની પાસે તળાવ આવેલું છે.જેના કારણે વરસાદ વધારે પડે તો તળાવમાંથી પાણી ચાલકાઈને બહાર આવી જાયે છે. અને શાળાની ગેટ પાસે ભરાઈ જાય છે. આ શાળા મ્યુ.એ બનાવી નથી જિલ્લા પંચાયત પાસેથી આવેલી છે. ઈજનેર દ્વારા શાળાના બે દરવાજા પાડીને વિધ્યાર્થીઓને આવા જવાનો રસ્તો બનાવી દીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!