પોરબંદરના કુતિયાણામાં શ્નાનના હુમલાથી 2 મહિનાના બાળકનું કરૂણ મોત
પોરબંદરના કુતિયાણામાં શ્વાનના ટોળાએ ઘોડિયામાં સૂતા બે મહિનાના બાળક પર ઘાતકી હુમલો કરતાં તેનું મોત નિપજ્યું

શ્વાનનો આતંક

શ્વાનનો આતંક
પોરબંદરના કુતિયાણામાં શ્વાનના આતંકનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 2 મહિનાના નિર્દોષ બાળકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, કોટડા ગામના વાડી વિસ્તારમાં આ ઘટના બની છે, જ્યાં ઘોડિયામાં સૂતા બાળક પર 4થી 5 શ્વાનોએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકને માથામાં ગંભીર ઈજા થતાં તેને તરત ભાવસિંહજી હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું.
બાળકના પરિવારજનો મુજબ, બાળક ઘોડિયામાં સુતું હતું ત્યારે શ્વાનોનું ટોળું આવી ચડ્યું અને સૌથી પહેલાં બાળકના માથાને નિશાન બનાવ્યું. હુમલા દરમિયાન બાળક ઘોડિયામાંથી નીચે પટકાયું અને તેને ગંભીર ઈજાઓ પહોંચી. પરિવારજનો દોડી આવ્યા અને શ્વાનોને ભગાડી નાખ્યા બાદ તરત હોસ્પિટલ ગયા, પરંતુ ત્યાં સુધીમાં બાળકે દમ તોડી દીધો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
આ પણ વાંચો: Bhavnagar : વધુ એક શ્વાનનો આતંક સામે આવ્યો, નવજાત શિશુ ફાડી ખાધેલી હાલતમાં મળ્યું...
આ ઘટના એથી વધુ ગંભીર બને છે કે, આ પહેલાં પણ કુતિયાણામાં શ્વાનના હુમલાની અનેક ઘટનાઓ બની છે. માત્ર 1 મહિના પહેલા જ 14 લોકોને શ્વાન કરડવાનો કિસ્સો સામે આવ્યો હતો. જોકે, તેમ છતાં સ્થાનિક તંત્ર કે નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. ફરી એક વાર શ્વાનના આતંકનો ભોગ બનતાં નાનકડા બાળકનો જીવ ગયો છે, જે તંત્રની નિષ્ક્રિયતાને ખુલ્લું પાડી રહ્યું છે.
આવો સંજોગ, જ્યાં શ્વાનોના ટોળા જાહેરમાં જીવલેણ હુમલાઓ કરી રહ્યાં છે, તંત્ર માટે ચેતવણીરૂપ છે. નાગરિકોના જીવ સાથે ખેલાતી આવી ઘટનાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી જરૂરી છે. ખાસ કરીને પોરબંદર જિલ્લા તંત્ર, નગરપાલિકા અને પશુપાલન વિભાગે શ્વાન નિયંત્રણ માટે અભિયાન ચલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!