ગંભીરા બ્રિજ દૂર્ઘટના, અધિકારીનો હાસ્યાસ્પદ જવાબ, બ્રિજ જર્જરિત ન હતો
ગંભીરા બ્રિજ જર્જરીત થયો હોવાની માગ આવી ન હતી. ગયા વર્ષે માલુમ પડતાં કામગિરી કરાઇ હતી

આ બ્રિજ જર્જરીત થયો હોવાની માગ આવી ન હતી. ગયા વર્ષે માલુમ પડતાં કામગિરી કરાઇ હતી

આ બ્રિજ જર્જરીત થયો હોવાની માગ આવી ન હતી. ગયા વર્ષે માલુમ પડતાં કામગિરી કરાઇ હતી
મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે (9 જુલાઈ) વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 9 વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ સમગ્ર દૂર્ઘટનામાં આર એન્ડ બી વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી જોવા મળી છે. એક તરફ વડોદરાના સામાજીક કાર્યકર લખન દરબાર સાથેની અધિકારીની 3 વર્ષ પહેલા થયેલી વાતચીતનો વિડીયો વાયરલ થયો છે જેમાં અધિકારી ખુદ સ્વીકારે છે કે ગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટી પડે તેમ છે ત્યારે આજે ઘટના સ્થળે પહોંચેલા આર એન્ડ બીના કાર્યપાલક ઇજનેર નાયકાવાલાએ હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ બ્રિજ ડેમેજ ન હતો.
R&Bના કાર્યપાલક ઇજનેર એન એમ નાયકાવાલાનું નિવેદન તેમના જ અધિકારી કરતા તદ્દન અલગ આવ્યું છે અને સ્પષ્ટપણે જણાઇ આવે છે કે તેઓ પોતાના વિભાગની બેદરકારી અને ભૂલ ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ ગંભીરા બ્રિજ 1985માં બન્યો હતો.અને બ્રિજની લાઇફ 100 વર્ષની હોય છે. તેમણે એમ પણ કહ્યું કે આ બ્રિજ જર્જરીત થયો હોવાની માગ આવી ન હતી. ગયા વર્ષે માલુમ પડતાં કામગિરી કરાઇ હતી અને આ વર્ષે પણ ખાડા પુરાયા હતા પણ અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ ન હતો. પુલ જર્જરીત નથી, અહેવાલ આવે ત્યાર બાદ કારણોની જાણ થશે.
અધિકારી નાયકાવાલા કહી રહ્યા છે કે આ ગંભીરા બ્રિજ જર્જરીત જ ન હતો. તો પછી તેમણે એ પણ જણાવવું જોઇએ કે આ બ્રિજ તૂટ્યો કેવી રીતે. ત્રણ વર્ષ પહેલા તેમના જ વિભાગના અધિકારી તો કહી રહ્યા છે કે આ બ્રિજ જર્જરીત છે અને ગમે ત્યારે તૂટી પડશે. નાયકાવાલાને ખબર જ ન હતી કે આ બ્રિજ જર્જરીત છે અને તેના સમારકામની દરખાસ્ત પણ કરાઇ છે.
આ પણ વાંચો--- 3 વર્ષ પહેલાનો વીડિયો વાયરલ..જેમાં અધિકારી ખુદ સ્વીકારે છે કે ગંભીરા બ્રિજની હાલત ખરાબ છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!