" મારા ઘરની જેટલી ચિંતા છે, તેટલો જ હું ખરાબ રસ્તાઓ માટે પણ જવાબદાર છું..."
ભ્રષ્ટાચાર અને બેદરકારી કરનારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને નહીં છોડું : નીતિન ગડકરી

ભ્રષ્ટાચાર અને બેદરકારી કરનારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને નહીં છોડું : નીતિન ગડકરી

ભ્રષ્ટાચાર અને બેદરકારી કરનારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને નહીં છોડું : નીતિન ગડકરી
ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ હજું પણ બચાવ કામગીરી ચાલી રહી છે. પુલ અકસ્માતોમાં વધારો થવા વચ્ચે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે તેઓ કામમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે દુર્ભાવનાપૂર્ણ ભૂલો કરનારાઓને સજા મળવી જોઈએ.
ગડકરીએ કહ્યું, 'અકસ્માત એક અલગ વાત છે અને કામ કરતી વખતે છેતરપિંડી અને અપ્રમાણિકતા કરનારાઓને સજા મળવી જોઈએ. જો ભૂલ ઇરાદાપૂર્વક ન હોય તો તેને માફ કરવી જોઈએ, પરંતુ જો ભૂલ દુર્ભાવનાપૂર્ણ હોય તો તેને સજા મળવી જોઈએ.' તેમણે આજ તક સાથેની વાતચીતમાં આ ટિપ્પણી કરી.
કાર્ય વલણ અંગે ગડકરીએ કહ્યું કે ભૂલ થાય ત્યારે તેઓ જવાબદાર લોકોને ઠપકો આપે છે. તેમણે કહ્યું, 'જો રસ્તા પર કોઈ ભૂલ થાય છે તો હું તેમને બક્ષતો નથી. અત્યારે મારું લક્ષ્ય 7 વિશ્વ રેકોર્ડ બનાવવાનું છે, હવે હું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પર જઈશ. આ મારા દેશની સંપત્તિ છે, હું તેની સાથે સમાધાન નહીં કરું. મારા ઘરની જેટલી ચિંતા છે, તેટલો જ હું તે રસ્તા માટે પણ જવાબદાર છું. હું તેની સાથે કોઈ સમાધાન કરીશ નહીં."
મહિસાગર નદી પર પુલ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક 18 થઈ ગયો છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે સ્થળ પર શોધ અને બચાવ કામગીરી રાત માટે સ્થગિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે શુક્રવારે સવારે કામગીરી ફરી શરૂ થશે કારણ કે બે લોકો હજુ પણ ગુમ છે.
ઉલ્લેખનિય છે કે બુધવારે સવારે પાદરા શહેર નજીક ગંભીરા ગામ પાસે ચાર દાયકા જૂના પુલનો એક ભાગ તૂટી પડતાં પાંચથી વાહનો મહિસાગર નદીમાં પડી ગયા હતા. આ પુલ આણંદ અને વડોદરા જિલ્લાને જોડે છે.
આ પણ વાંચો---
Vadodara: ગંભીરા પુલ દુર્ઘટના, મુખ્યમંત્રીની 4 અધિકારીઓ સામે કાર્યવાહી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!