હાટકેશ્વર બ્રિજ હવે તોડવામાં આવશે, મુંબઈની શ્રી ગણેશ કોર્પોરેશનને મળી શકે છે ડિમોલિશનની જવાબદારી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હાટકેશ્વર ફ્લાયઓવર તોડવાનો અંતિમ નિર્ણય લેવાની તાજી તૈયારીમાં છે.

હાટકેશ્વર બ્રિજ

હાટકેશ્વર બ્રિજ
અમદાવાદના હાટકેશ્વર બ્રિજને હવે તોડી પાડવાની સમગ્ર પ્રક્રિયા અંતિમ મંચ પર પહોંચી રહી છે. રૂપિયા 40 કરોડના ખર્ચે વર્ષ 2017માં બનેલા આ ફ્લાયઓવર તેના ઉદ્ઘાટન બાદ થોડા મહિના સુધી જ ચાલ્યો હતો. અનિયમિતતા અને બાંધકામની ગંભીર ખામીઓના કારણે 2022માં તેને સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો.
બાંધકામ કરનાર એજન્સી અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. (AEIPL) અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ SGS ઈન્ડિયા લિ. પર ઘોર બેદરકારીનો આરોપ મૂકાયો છે. લગભગ 3 લેબોરેટરી અને IIT રૂર્કી તથા SVNIT દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલ્યું કે, બ્રિજમાં નીચી ગુણવત્તાનો કોંક્રિટ, ખોટી વોટર-સિમેન્ટ રેશિયો, પોરોસિટી, કાર્બોનેશન અને અન્ય બાંધકામ ત્રુટિઓ જવાબદાર છે.
2023ના એપ્રિલમાં કમિશનર એમ. થેન્નારસન દ્વારા બ્રિજ તોડવાનો નિર્ણય જાહેર કરાયો હતો. AEIPL અને SGSને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા અને AMCના ચાર અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા, જ્યારે બીજા ચાર વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. વધુમાં, પોલીસએ IPC કલમ 120(B), 406 અને 420 હેઠળ FIR નોંધાવી હતી.
ડિમોલિશનની કામગીરી માટે 3 વખત ટેન્ડર બહાર પાડ્યા છતાં પ્રતિસાદ ન મળતા, ચોથી વાર ટેન્ડર મૂલ્ય રૂપિયા 51.7 કરોડ હતું, જેમાં રાજસ્થાનની પુંગલિયા કંપનીએ રૂપિયા 118 કરોડની ઓફર આપી હતી, જેને ખારજ કરવામાં આવી છે.
AMCએ જુન 2025માં નવા ટેન્ડર માટે માત્ર તોડફોડના કામ માટે રૂપિયા 9.31 કરોડના અંદાજે ટેન્ડર બહાર પાડ્યું હતું. 4 કંપનીઓએ રજૂઆત કરી હતી. જેમાં મુંબઈની શ્રી ગણેશ કોર્પોરેશન સૌથી ઓછી રકમ આપનાર એટલે કે L1 બિડર બની છે.
AMCના એક વરિષ્ઠ અધિકારીએ Benefit Newsને જણાવ્યું કે, “હજી સ્ટેડિંગ કમીટિમાં દરખાસ્ત મોકલવામાં આવી નથી, પણ શક્યતા છે કે, શ્રી ગણેશ કોર્પોરેશનને આ પ્રોજેક્ટ સોંપવામાં આવે. દરખાસ્ત મોકલવા આખા 15 દિવસ લાગશે."
હાટકેશ્વર બ્રિજનું મૂળ બાંધકામ 2015થી 2017 દરમિયાન રૂપિયા 34 કરોડના ખર્ચે થયેલું હતું. પહેલી તિરાડ માર્ચ 2021માં દેખાઈ અને મેમાં જાહેર થયેલા રિપોર્ટમાં બાંધકામની ખૂબ જ નિંદનીય સ્થિતિ બહાર આવી હતી. આ અગાઉ પુંગલિયાની રૂપિયા 113 કરોડની રીબિલ્ડ પ્રસ્તાવ રાજકીય દબાણ હેઠળ રદ કરવામાં આવ્યો હતો.
હવે શક્ય છે કે, શ્રી ગણેશ કોર્પોરેશનના હાથમાં તોડકામની જવાબદારી સોંપાશે. રોડ અને બિલ્ડિંગ્સ કમિટી અને પછી સ્ટેડિંગ કમીટિ દ્વારા મંજૂરી મળ્યા બાદ તોડકામ શરૂ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!