સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓ મુદ્દે પિત્તો ગુમાવ્યો
વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સાંસદે Mansukh Vasava એ અધિકારીઓને તતડાવ્યા!

સાંસદ મનસુખ વસાવા

સાંસદ મનસુખ વસાવા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના નિગટ ગામે યોજાયેલા 'વિકાસ સપ્તાહ કાર્યક્રમ'માં સાંસદ મનસુખ વસાવા આદિવાસીઓની સમસ્યાઓને લઈને અધિકારીઓ અને વેપારીઓ પર બરોબરના અકળાયા હતા. તેમણે જાહેર મંચ પરથી રોકડું પરખાવીને તંત્ર અને વેપારીઓને કડક ચેતવણી આપી હતી.
વેપારીને લૂંટવાનું બંધ કરવા આદેશસાંસદ મનસુખ વસાવાએ વેપારીઓ દ્વારા ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ન આપવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે APMC અને વેપારીઓ દ્વારા ખેડૂતોને પાકના ભાવ મામલે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
વસાવાએ ઉદાહરણ આપતા કહ્યું કે, "મકાઈનો ભાવ 2100 રૂપિયા છે, તેની જગ્યાએ વેપારીઓ રૂ. 1800 થી 2000 નો ભાવ આપે છે, જે જાહેર થયેલા ભાવ કરતા ઓછો છે." તેમણે વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં "આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો" તેમ કહીને આવા લોકો સામે કેસ કરવા તંત્રને ટકોર કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો તંત્ર ધ્યાન નહીં આપે તો તેઓ જાતે જ કાર્યવાહી કરશે.
"મામલતદાર, તમે ગામનાં રાજા નથી!"વીજ કનેક્શન કાપવાના મામલે સાંસદ મામલતદાર પર ગુસ્સે થયા હતા. સરકારી જમીનોમાં રહેતા આદિવાસીઓના ઘરનું વીજ કનેક્શન કાપી નાંખવા મામલે મનસુખ વસાવાએ મામલતદારને જાહેરમાં ખખડાવ્યા અને કહ્યું, "તમે મામલતદાર છો, ગામનાં રાજા નથી."
કલેક્ટરને પણ ચીમકી: "અમને છંછેડતા નહિ..."આ ઉપરાંત, સાંસદે જિલ્લા કલેક્ટરને પણ ચીમકી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે વિકાસ પ્રોજેક્ટ લાવતા પહેલા પદાધિકારીઓ અને અધિકારીઓ તમામે સાથે મળીને કામ કરવું જોઈએ અને તેમનું ધ્યાન દોરવું જોઈએ.
સાંસદ વસાવાએ આકરા શબ્દોમાં કહ્યું, "કલેક્ટર અહીંનો રાજા નથી, અમને છંછેડતા નહિ... બાકી જોઈ લેજો પછી." તેમણે ચેતવણી આપી કે આદિવાસીઓને રંજાડવાનું કામ ન કરવું જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!