તાપીમાં વીજકરંટ દુર્ઘટનામાં માતા-પુત્રીનું થયું કરુણ મૃત્યુ
તાપીના જેસિંગપુરા ગામે કપડાં સૂકવતી વખતે પાઇપમાં વીજ કરંટ ફરતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે મોત થયું.

કપડાં સુકવવવા

કપડાં સુકવવવા
તાપી જિલ્લાના વ્યારાના જેસિંગપુરા ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં માતા કૈલાશબહેન ગામિત અને પુત્રી ધનગોરી ગામિતનું વીજકરંટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. બન્ને કપડા સૂકવવા ગયા હતા ત્યારે પાઇપ સાથે વીજ વાયરનો સંપર્ક થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
પ્રાથમિક માહિતી મુજબ, કપડાં સૂકવવાની પાઈપને વીજ વાયર સ્પર્શી ગયો હતો અને તેમાં કરંટ આવતા, બન્નેએ પાઇપને સ્પર્શ કરતાં જ કરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. દુર્ઘટનાના શોકમાં આખું ગામ ડૂબી ગયું છે અને લોકો દુઃખી પરિવારને સાંત્વના આપવા માટે ઘેર પહોંચી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!