અમદાવાદમાં KFC કારણે સ્થાનિકોનો હોબાળો
નોનવેજ વેસ્ટ રસ્તા પર ફેંકવાનાસ્થાનિકોનો હોબાળો, AMCએ રૂ.10,000નો દંડ ફટકારી બ્રાન્ચ સીલ

KFC ને નોટિસ ફટકારી સીલ કરીને રૂ.10 હજાર દંડ ફટકાર્યો

KFC ને નોટિસ ફટકારી સીલ કરીને રૂ.10 હજાર દંડ ફટકાર્યો
વિદેશોમાં સખત નિયમોનું પાલન કરતી ગ્લોબલ ફૂડ ચેન KFC ભારતમાં લાપરવાહીના આરોપમાં ફસાઈ છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા KFC આઉટલેટ દ્વારા નોનવેજ વેસ્ટ રસ્તા પર ફેંકવામાં આવતું હોવાની ફરિયાદ બાદ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો. આ ફરિયાદોના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમે આજે સવારે તપાસ કરી, નોટિસ ફટકારી અને આઉટલેટને સીલ કરીને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. સ્થાનિકોનું કહેવું છે કે આ દંડ નામમાત્ર છે, જ્યારે વિદેશોમાં આવી લાપરવાહી પર લાખોનો દંડ અને કાયમી બંધીની કાર્યવાહી થાય છે.
ઘટનાનો ખુલાસો: કૂતરાઓએ ફેલાવ્યો કચરો, સ્થાનિકોએ કરી ફરિયાદઅમેરિકન ફૂડ ચેન KFC (કેન્ટકી ફ્રાઈડ ચિકન) વિશ્વના 150થી વધુ દેશોમાં 32,000થી વધુ આઉટલેટ્સ ધરાવે છે. અમદાવાદમાં KFCના કુલ 11 યુનિટ્સ છે, જેમાંથી સાયન્સ સિટી રોડ પર ઓબેલિસ્ક કોમ્પ્લેક્સમાં આવેલી બ્રાન્ચ સામે ફરિયાદ ઉઠી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, KFC એક નોનવેજ બ્રાન્ડ હોવાથી તેના ડસ્ટબિનમાંથી નીકળતો કચરો (ચિકનના અવશેષ વગેરે) કૂતરાઓ ચારે બાજુ ફેલાવી દેતા હતા, જેનાથી આ વિસ્તારમાં દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી હતી.
"અમારા વિસ્તારમાં KFC ખૂલ્યું ત્યારે આનંદ થયો, પરંતુ કચરાના ખરાબ વ્યવસ્થાપનથી હવે પરેશાની થઈ રહી છે. કૂતરાઓ કચરો ખેંચીને રસ્તા પર ફેલાવે છે, જે આરોગ્ય માટે જોખમી છે," એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું. ફરિયાદોનો દોર વધતાં AMCની ટીમે તપાસ કરી, જેમાં વેસ્ટ મેનેજમેન્ટ નિયમોનો ભંગ થતો હોવાનું જણાયું. ટીમે તાત્કાલિક આઉટલેટને સીલ કરી દીધું અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો.
ભ્રષ્ટાચારનો સંઘો: નામમાત્ર દંડ પર સવાલભારતમાં પર્યાવરણ અને વેસ્ટ મેનેજમેન્ટ નિયમોનું પાલન ઢીલું હોવાનો આરોપ લાંબા સમયથી લાગતો રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભ્રષ્ટાચારના કારણે મોટી કંપનીઓ પણ મનફાવે તેમ કામ કરે છે, અને સજા પણ નજીવી હોય છે. આવું જ કંઈક સાયન્સ સિટી રોડ પર આવેલા અન્ય આઉટલેટ ‘ક્રશ કોફી’ સાથે થયું, જ્યાં કચરાની ટોપલી યોગ્ય રીતે ન રાખવાથી 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.
અમેરિકા જેવા દેશોમાં આવી ઘટનાઓ પર લાખો રૂપિયાનો દંડ અને આઉટલેટની કાયમી બંધી જેવી સખત કાર્યવાહી થાય છે. પરંતુ ભારતમાં ભ્રષ્ટ સિસ્ટમના કારણે નિયમોનું યોગ્ય અમલીકરણ થતું નથી, જેના કારણે આવી મોટી બ્રાન્ડ્સ પણ લાપરવાહી કરતી જોવા મળે છે.
આ એક વિકસતી ખબર છે. અપડેટ્સ માટે જોડાયેલા રહો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!