26 મંત્રીઓની યાદી જાહેર, શપથગ્રહણની તૈયારી
26 મંત્રીઓનું નવું મંડળ જેમાં જૂના-નવાનો સમન્વય, મહાત્મા મંદિરે શપથવિધિ

26 મંત્રીઓની યાદી જાહેર, શપથગ્રહણની તૈયારી

26 મંત્રીઓની યાદી જાહેર, શપથગ્રહણની તૈયારી
ગુજરાતના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે મોટી રાજકીય ઊથલપાથલના અંતે આજે નવું મંત્રીમંડળ આકાર લઈ રહ્યું છે. ગઈકાલે, ગુરુવારે 16 મંત્રીઓના રાજીનામા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના વિસ્તૃત મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીઓની યાદી જાહેર કરી દેવાઈ છે. આ તમામ નવનિયુક્ત મંત્રીઓ થોડી જ વારમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભવ્ય શપથવિધિ કાર્યક્રમમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે.
મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાત
આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યપાલને ગુજરાતના મંત્રીમંડળની વર્તમાન સ્થિતિ અંગે વિગતે માહિતગાર કર્યા હતા. સાથે જ, તેમણે નવા મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજવા માટેની ઔપચારિક અનુમતિ પણ માંગી હતી. શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવશે, જ્યારે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત પક્ષના તમામ ધારાસભ્યોની હાજરી રહેશે.

સંગઠનમાં નવા-જૂનાનો સમન્વય
નવા મંત્રીમંડળની યાદીમાં જૂના અને નવા ચહેરાઓનો સમન્વય જોવા મળી શકે છે. ઘણા જૂના અને અનુભવી મંત્રીઓને ફરીથી તક આપવામાં આવી છે, જ્યારે ઘણા નવા ચહેરાઓને પણ સ્થાન મળશે. આ સાથે મંત્રીમંડળનું કદ વધારીને પ્રાદેશિક અને જ્ઞાતિગત સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોને પણ મંત્રી બનાવાયા હોવાની ચર્ચા છે. રિપીટ થયેલા મંત્રીઓના નામ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા, પરષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરીયા છે.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવેલો આ મોટો ફેરફાર આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પક્ષના સંગઠન અને શાસનમાં એક નવી ઊર્જા લાવવાની વ્યાપક વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ પગલું સત્તાવિરોધી લહેરને અસરકારક રીતે ઘટાડવા અને વિવિધ જ્ઞાતિઓ તેમજ પ્રદેશોને યોગ્ય પ્રતિનિધિત્વ આપીને સંતુલન જાળવવાનો મજબૂત પ્રયાસ છે. મંત્રીમંડળમાં સામેલ થનાર ધારાસભ્યોને ફોન દ્વારા જાણકારી આપી દેવાઈ છે અને હવે સમગ્ર રાજ્યની નજર મહાત્મા મંદિર પર ટકેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!