લાભ પાંચમ: અમદાવાદની બજારો ફરી ધમધમતી થઈ
લાભ પાંચમમાં અમદાવાદ સોની બજાર સહિતના વેપારીઓએ નવા વર્ષના ધંધાના ધંધાના શ્રીગણેશ કર્યા

સોની બજાર

સોની બજાર
દિવાળીના તહેવાર દરમિયાન પૂજા કરીને દુકાનો અને પેઢીઓને વધાવી દીધા બાદ, આજે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ફરી એકવાર વેપાર-ધંધાની શરૂઆત કરવામાં આવી છે. સોના અને ચાંદીના વેપારીઓ સહિત અનેક વેપારી આજના પવિત્ર દિવસે નવા વર્ષના ધંધાના શ્રીગણેશ કર્યા છે. એવી માન્યતા છે કે, લાભ પાંચમના દિવસે ધંધો શરૂ કરવાથી તે આખું વર્ષ લાભદાયક નીવડે છે. આ માન્યતાના કારણે જ્વેલર્સ વેપારીઓએ પૂજા-પાઠ કરીને ધંધાની શરૂઆત કરી છે. દિવાળી દરમિયાન સૂમસામ થયેલા અમદાવાદના રસ્તાઓ અને બજારો આજે ફરી ધમધમતી જોવા મળી રહ્યા છે. વેપારીઓ આશા રાખી રહ્યા છે કે, નવા વર્ષ દરમિયાન તેમનો ધંધો લાભદાયક નિવડે.
લગ્નની સિઝન સાથે ભાવ ઘટાડાની આશા
દિવાળી દરમિયાન સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં લોકોએ ધૂમ ખરીદી કરી હતી. જોકે, હવે દિવાળી બાદ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સોની બજારના વેપારી જણાવ્યા અનુસાર, 'ભાવ વધારાની સામે દિવાળીની સિઝન સારી રહી છે, જોકે હવે ભાવ ઘટ્યા છે તો આવનારા દિવસમાં જે લોકોએ દિવાળીના સમયમાં ખરીદી નથી કરી તે લોકો હવે ખરીદી કરે તેવી આશા છે.' વેપારીઓને ખાસ કરીને આગામી લગ્નની સિઝન સારી રહેવાની આશા છે, જે દિવાળી કરતા પણ વધુ ખરીદી લાવી શકે છે. તેમણે કહ્યું કે, લાભ પાંચમના દિવસે ધંધાની શરૂઆત કરવાથી આવનારું વર્ષ ધંધા માટે ખૂબ સારું સાબિત થાય છે અને ગ્રાહકના ઘરમાં પણ સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
આ પણ વાંચો: આજે વાઘબારસથી તહેવારો શરૂ,31 ઓક્ટોબરે બપોરે 15.53થી દિવાળી
નવા સંકલ્પો સાથે વેપારની શરૂઆત
દિવાળીના દિવસે બંધ કરવામાં આવેલી દુકાન અને પેઢીઓને આજે ગણેશજીની પૂજા કરીને ફરીથી શરૂ કરવામાં આવી છે. વેપારીઓ ઉત્સાહમાં છે અને નવા વર્ષના ધંધાના શ્રીગણેશ થતાં અમદાવાદની બજારમાં એક નવો માહોલ જોવા મળી રહ્યો છે. લાભ પાંચમના દિવસે વેપારીઓ સારા મુહૂર્તમાં સોદા કરીને નવા વર્ષની ધંધાની શરૂઆત કરે છે. સોના-ચાંદીના વેપારીઓની આશા છે કે, લગ્નની સિઝન અને ભાવ ઘટવાના સમન્વયથી વેપારમાં વૃદ્ધિ જોવા મળશે અને તેમનો ધંધો ચોક્કસપણે લાભદાયક નીવડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!