Jamnagar : કોંગ્રેસનો નવતર વિરોધ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા મહાનગરપાલિકામાં હવન!
ભાજપ સરકારની રાજમાં ભ્રષ્ટ્રાચાર મુદ્દે જાહેરમાં હવન કરીને ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા માટે આહુતી આપવામાં આવી હતી

હવન કરીને ભ્રષ્ટાચાર નાબુદી માટેની આહુતિ આપી હતી.

હવન કરીને ભ્રષ્ટાચાર નાબુદી માટેની આહુતિ આપી હતી.
જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ પક્ષના કાર્યાલય પાસે આજે કોંગ્રસના પ્રમુક દિગુભા જાડેજાની આગેવાનીમાં કોંગી કાર્યકરો અને કોર્પોરેટર વગેરે નવતર પ્રકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ભાજપ સરકારની રાજમાં ભ્રષ્ટ્રાચાર મુદ્દે જાહેરમાં હવન કરીને ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા માટે આહુતી આપવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તમામ કાર્યકરોને વિખુટા પાડ્યા હતા.

જામનગર શહેરના કોંગ્રેસના પ્રમુખ દીગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની રાહબરી હેઠળ કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનર અને પોસ્ટર સાથે જોડાયા હતા. અને ભય ભૂખ અને ભ્રષ્ટ્રાચાર ભાજપના રાજમાં ફૂલ્યો ફાલ્યો છે. 'કચરા ઉપાડવામાં ભાજપનો ભ્રષ્ટાચાર','ભૂગર્ભમાં ભાજપ તારો ભ્રષ્ટાચાર','ટેન્ડર પ્રક્રિયામાં ભાજપનું ઈલુ ઈલુ'જેવા અલગ અલગ પોસ્ટરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ કાર્યાલયની બહારની લોબીમાં તમામ કોંગી કાર્યકરો બેસી ગયા હતા. હવન કરીને ભ્રષ્ટાચાર નાબુદી માટેની આહુતિ આપી હતી. જોકે તે સમયે સીટી એ.ડીવીઝનનો પોલીસનો કાફલો આવી પહોચ્યો હતો. તમામ વિરોધ કરતા કાર્યકરોને તે સ્થળેથી દુર કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!