ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ: ગૌરવ અને ગાથા
પરેડ, સંસ્કૃતિ અને શક્તિ સાથે રાષ્ટ્રગીતને સમર્પિત ઉજવણીનો વિકસિત ભારત સુધીનો સફર

ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ

ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ
ભારત આજે તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર માત્ર સંવિધાનના અમલની યાદ નથી કરાવતો, પરંતુ રાષ્ટ્રની એકતા, સંસ્કૃતિ અને સંકલ્પને નવી ઊર્જા આપે છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની થીમ છે ‘વંદે માતરમના 150 વર્ષ’, જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને સાંસ્કૃતિક આત્માની અનોખી ઉજવણી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, “આ અવસર વિકસિત ભારત માટેના આપણા સંકલ્પને નવી ઉર્જા અને ઉત્સાહ આપે.” તેમના સંદેશમાં રાષ્ટ્રનિર્માણ અને સમૂહ પ્રયાસનો સ્પષ્ટ સંદેશ હતો.
सभी देशवासियों को गणतंत्र दिवस की बहुत-बहुत बधाई। भारत की आन-बान और शान का प्रतीक यह राष्ट्रीय महापर्व आप सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। विकसित भारत का संकल्प और अधिक सुदृढ़ हो, यही कामना है।
— Narendra Modi (@narendramodi) January 26, 2026
પરેડમાં વિકાસ, વૈવિધ્ય અને શક્તિનું પ્રદર્શન
દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભારતની વિકાસયાત્રા, સાંસ્કૃતિક વૈવિધ્ય અને સૈન્ય શક્તિનું ભવ્ય પ્રદર્શન થયું. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ઉપયોગમાં આવેલા મુખ્ય હથિયાર પ્રણાલીઓના મોડલ્સ, નવી સૈન્ય યુનિટ્સ અને રાજ્યોના ઝાંખા પરેડનું મુખ્ય આકર્ષણ રહ્યા.
આ વર્ષે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડર લેયેન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા, જે ભારત-યુરોપ સંબંધોની મજબૂતી દર્શાવે છે.
ગણતંત્ર દિવસને લઈને ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. SSBને મળેલી ખાસ ગુપ્તચર માહિતી બાદ સરહદી વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ અટકાવી શકાય.
‘ભારત પર્વ’થી સંસ્કૃતિ અને પર્યટનને વેગ
ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે, લાલ કિલ્લા પર 6 દિવસીય ‘ભારત પર્વ’ યોજાઈ રહ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા ઉદ્ઘાટિત આ મહોત્સવમાં દેશભરની લોકકળા, હસ્તકલા, ભોજન અને પર્યટનનું પ્રદર્શન થશે.
‘વંદે માતરમ’ - ભૂતકાળથી ભવિષ્ય સુધી
1876માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ ‘વંદે માતરમ’ માત્ર ગીત નથી, પરંતુ સ્વાતંત્ર્ય આંદોલનનો આત્મસ્વર છે. 2026ની થીમ આ ગીતને પેઢીથી પેઢી જોડતી કડી તરીકે રજૂ કરે છે. પરેડ, ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ના ઈતિહાસ અને આજના ભારત સાથેના સંબંધને ભાવનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે.
ગણતંત્ર દિવસ 2026 આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્રીય ગૌરવ માત્ર ભૂતકાળમાં નથી, પરંતુ આજના કર્તવ્ય અને આવનારા ભારતના સપનામાં પણ જીવંત છે.
બંધારણના અમલ પાછળનું ૯૬ વર્ષ જૂનું ઐતિહાસિક રહસ્ય
ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના રોજ તૈયાર થઈ ગયું હોવા છતાં તેને 26 જાન્યુઆરી, 1950ના રોજ લાગુ કરવા પાછળ એક ઊંડો ઐતિહાસિક તર્ક રહેલો છે. વાસ્તવમાં, 26 જાન્યુઆરી 1930ના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લાહોર અધિવેશનમાં પંડિત નેહરુના નેતૃત્વ હેઠળ 'પૂર્ણ સ્વરાજ'નો સંકલ્પ કર્યો હતો અને પ્રથમ વાર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ ઐતિહાસિક દિવસના મહત્વને જાળવી રાખવા અને દેશની સાર્વભૌમત્વની પ્રતિજ્ઞાને સત્તાવાર કાયદાકીય સ્વરૂપ આપવા માટે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આ જ તારીખની પસંદગી કરવામાં આવી હતી.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.