માર્ગ અકસ્માતો ઘટાડવા સરકાર થશે સક્રિય: શહેરી રસ્તાઓ પર સ્પીડ લિમિટ ઘટશે
ગુજરાતમાં સ્પીડ કંટ્રોલ ઝોન લાગુ કરાશે: ટ્રાફિક સલામતી માટે કડક નિયમો

ગતિ મર્યાદાનું પાલન ના થતાં જોવા મળતા પરિણામોની પ્રતીકાત્મક તસ્વીર

ગતિ મર્યાદાનું પાલન ના થતાં જોવા મળતા પરિણામોની પ્રતીકાત્મક તસ્વીર
ગુજરાતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક સલામતીને વધુ મજબૂત બનાવવા રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહત્ત્વપૂર્ણ પગલું ઉઠાવવાનું સૂચન આપ્યું છે. રાજ્યમાં સતત વધી રહેલા વાહનોની સંખ્યા અને તેમની અવિરત ઝડપને કારણે દુર્ઘટનાઓમાં થયેલ ભારે નુકસાનને અટકાવવા માટે શહેરોના આંતરિક રસ્તાઓ પર વાહનોની મહત્તમ ગતિ મર્યાદા 30 કિમી પ્રતિ કલાક સુધી લાવવાની તજવીજ શરૂ કરવામાં આવી રહી છે
સૂત્રો અનુસાર છેલ્લા દાયકામાં રાજ્યભરમાં માર્ગ અકસ્માતોમાં 75 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. જેના પગલે રાજ્ય સરકારે શહેરી ટ્રાફિક માટે નવી ગાઈડલાઈન તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે. નવા માપદંડ પ્રમાણે વ્યસ્ત રહેણાંક વિસ્તારમાં, સ્કૂલ ઝોન કે બજાર વિસ્તારોમાં વાહનોની ગતિમર્યાદા 30 કિમી પ્રતિ કલાક રહેશે, જ્યારે પહોળા રસ્તાઓ કે મુખ્ય માર્ગો માટે 45 થી 60 કિમી સુધી ગતિ મંજૂર કરવામાં આવશે.
અત્યાર સુધીના નોર્મ્સ મુજબ, શહેરની અંદર કાર માટે 70 કિમી પ્રતિ કલાક, મોટી બાઇક્સ માટે 60 કિમી અને નાના ટૂ-વ્હીલર્સ માટે 50 કિમી પ્રતિ કલાક ગતિમર્યાદા નક્કી કરવામાં આવી હતી. એક્સપ્રેસવે પર કાર માટે 120 કિમી અને ફોર-લેન હાઇવે પર 100 કિમી સુધી ગતિ મંજૂર હતી. પણ હવે, ખાસ કરીને ઘનવસ્તીવાળા શહેરી વિસ્તારો માટે સરકાર વધુ નિયંત્રણ લાદવા તરફ આગળ વધી રહી છે.
શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના મતે, આ નવા નિયમો માટે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રુલ્સ (GDCR)માં પણ સુધારા લાવવાની શક્યતા છે. જે હેઠળ રસ્તાની પહોળાઈ, ટ્રાફિક ઘનત્વ અને દિવસના વિવિધ સમયગાળાઓ પ્રમાણે ગતિ મર્યાદા નક્કી કરવામાં આવશે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ઊંચી ગતિએ થનારા અકસ્માતો વધુ ઘાતક હોય છે. 80 કિમી પ્રતિ કલાકની ઉપરની ગતિએ અકસ્માત થવાના સંજોગોમાં મૃત્યુની શક્યતા 20 ગણી વધી જાય છે. આ કારણે હવે સરકાર “સ્પીડ કન્ટ્રોલ ઝોન”ની માળખાકીય યોજના તરફ વળી રહી છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો રસ્તાઓ પર ગતિ મર્યાદા દર્શાવતા બોર્ડ લગાડવામાં આવ્યા છે. શહેરમાં જ્યાં લાંબા અને પહોળા રસ્તાઓ છે ત્યાં 40 ની ગતિ મર્યાદાના બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમકે સાબરમતી રિવરફ્રન્ટ, એસ જી હાઈ વે અને જ્યાં ટ્રાફિક સર્જાતો હોય તેવા માર્ગો પાર ગતિ મર્યાદા 30 રાખવી તેવા બોર્ડ લગાવમાં આવ્યા છે.
પરંતુ રસ્તાઓ પર બે પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે પહેલા તો લોકોને ગતિ મર્યાદા વિષે કે ગતિ મર્યાદાના બોર્ડ વિષે કોઈ જાગૃતતા કે જાણકારી હોતી નથી માટે લોકો તેને અનુસરતા નથી અને ત્યારબાદ બીજી પરિસ્થિતિમાં લોકો ગતિ મર્યાદા વિષે જાગૃત અને જાણકાર હોવા છતાં તેનો અમલ કરતી નથી. આવા સંજોગોમાં ગતિ મર્યાદાના નિયમોમાં ફેરફાર કરવું અને તેની માટે લોકોમાં જાગૃતતા વધારવું બંને જરૂરી બને છે. વિશિષ્ટ વિસ્તારો માટે અલગ અલગ સ્પીડ લિમિટ લાગુ કરવી પડશે. ટ્રાફિક ડેટા, વાહનોની સંખ્યા અને દિનચર્યા પ્રમાણે શહેરોમાં રિંગ રોડ, શેરી માર્ગો અને ડિવાઈડર વગરના રસ્તાઓ માટે નવી રીતે કામ કરવાની જરુર પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!