સુરતમાં યુવતીનો રહસ્યમય રીતે આપઘાત
સામાજીક અગ્રણીનો મુખ્યમંત્રીને લખેલો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ

આ અંગે વધુ તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે.

આ અંગે વધુ તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર યુવતીએ ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતી પ્રાઈવેટ ટ્યુશન કલાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી. દીકરીના અચાનક ભરી લીધેલા અંતિમ પગલાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે સિંગણપોર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે પાટીદાર સામાજીક અગ્રણીનો મુખ્યમંત્રીને લખેલો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં યુવતીને બ્લેકમેઈલ કરાતી હોવાથી કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, કતારગામ વિસ્તાર આવેલ વિધિ પેલેસમાં 19 વર્ષીય નેના રણજીતભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પિતા,માતા અને ભાઈ છે. પિતા રણજીતભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરી 19 વર્ષીય પુત્રી નેનાબેન સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે. નેના પ્રાઈવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી.
નેનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ સ્તબ્ધ રહી ગયા હતા. પરિવારની એકની એક દીકરીએ આકરૂ પગલું ભરી લેતા અશોકનો માહોલ છવાઈ ગયો છે. નેનાના મૃતદેહનુ સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. આ સાથે આ અંગે વધુ તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે.
નેના વાવડીયાના આપઘાતના પગલે પાટીદાર સમાજના એક અગ્રણીએ સોશિયલ મીડિયામાં આ આપઘાતની લઈને સવાલ ઊભા કરવામાં આવ્યા છે અને યુવતીને હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે આ બાબત પોલીસના ધ્યાનમાં આવી છે અને તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.
પાટીદાર સમાજના સામાજીક અગ્રણી વિજય માંગુકીયા દ્વારા આ આપઘાત સંદર્ભે મુખ્યમંત્રીને રજુઆત કરતો લેટર લખવામાં આવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં મૃતક નેના વાવડીયાને અસામાજીક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, સાથે જ યુવક દ્વારા મૃતક તરૂણીને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી. અંતે માનસિક તણાવમાં આવી તેણીએ જીવનનો અંત આણ્યો છે. પોલીસ અને સરકાર દ્વારા આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!