ધોલેરા હાઈવે: બે બસની ટક્કર, 10 ઘાયલ!
હાઇવે પર બસ પલટતા ગમખ્વાર અકસ્માત, હાઈવે પર સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા.

ધોલેરા હાઈવે: બે બસની ટક્કર

ધોલેરા હાઈવે: બે બસની ટક્કર
અમદાવાદ-ભાવનગર હાઈવે પર આવેલા હેબતપુર ગામ નજીક આજે સવારે બે લક્ઝરી બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ખળભળાટ મચી ગયો છે. સુરતથી ભાવનગર જઈ રહેલી આ બંને બસો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે એક બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ટક્કર બાદ બસ પલટી, મુસાફરો ઘાયલ
મળતી માહિતી મુજબ, આ અકસ્માત નટરાજ ટ્રાવેલ્સ અને બદ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસો વચ્ચે થયો હતો. બંને બસો સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી. હેબતપુર નજીક જ્યારે નટરાજ ટ્રાવેલ્સની બસ વળાંક લઈ રહી હતી, તે સમયે પાછળથી આવી રહેલી બદ્રીનાથ ટ્રાવેલ્સની બસ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ટક્કરના કારણે નટરાજ ટ્રાવેલ્સની બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી, જ્યારે બદ્રીનાથ ટ્રાવેલ્સનો કંડક્ટર સાઇડનો આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માત થતાં જ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ઘાયલોને તાત્કાલિક ભાવનગર ખસેડાયા
અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 3 લોકો સહિત તમામ 10 ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતે ફરી એકવાર આ માર્ગની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ મે મહિનામાં પણ આ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયા હતા જેમાં 2 કારની ટક્કર થતાં અકસ્માતમાં અમદાવાદના 3 સગા ભાઈ સહીત એક પુત્ર એમ 5ના મોત નીપજ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!