અમદાવાદમાં છઠ મહાપર્વ: તંત્રની પૂરજોશ તૈયારી
સાબરમતી રિવરફ્રન્ટ પર વિશેષ ઘાટ તૈયાર, 5000થી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થશે

છઠ મહાપર્વની તડામાર તૈયારીઓ

છઠ મહાપર્વની તડામાર તૈયારીઓ
દિવાળી બાદ ઉત્તર ભારતીયોના આસ્થાના મહાપર્વ 'છઠ'નો ઉત્સવ શરૂ થઈ ગયો છે, જેનું અમદાવાદમાં વસતા હજારો પરપ્રાંતીય લોકો માટે વિશેષ મહત્વ છે. આ મહાપૂજાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ પર, ઇન્દિરા બ્રિજ સહિત વિવિધ સ્થળોએ છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
રિવરફ્રન્ટ પર વિશેષ વ્યવસ્થા:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ પૂજા ઘાટ પર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. છઠ પૂજા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ પૂજાઘાટ પર દર વર્ષે 5000 થી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થતા હોય છે. આટલી મોટી ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અહીં સુરક્ષાથી લઈને સુવિધા સુધીનું વિશેષ આયોજન કરાયું છે.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઘાટ પર ડોમ અને સ્ટેજ બનાવવામાં આવ્યા છે. વ્રતધારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સિક્યુરિટી ગાર્ડની નિયુક્તિ, ચેન્જિંગ રૂમ અને અન્ય જરૂરી સગવડો પણ ઊભી કરવામાં આવી છે. હાલમાં ઈન્દિરા બ્રિજના છઠ ઘાટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
પૂજાનો કાર્યક્રમ:
આ વર્ષે ૨૬ ઓક્ટોબરે 'નહાય-ખાય' (સ્નાન કરી સાત્વિક ભોજન) સાથે છઠ પૂજા પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે (બીજા દિવસે) 'છોટી છઠી' મનાવી શ્રદ્ધાળુઓ ૩૬ કલાકના નિર્જળા ઉપવાસ રાખશે.
આવતી કાલે (૨૭ ઓક્ટોબર, રવિવારે) 'બડી છઠી' મનાવાશે. આ દિવસે સાંજે ચારથી પાંચ વાગ્યાથી પૂજાની શરૂઆત થશે, જેમાં સૂર્યાસ્ત સુધી વ્રતધારીઓ નદીમાં ઊભા રહીને આથમતા સૂર્ય અને છઠી માતાની પૂજા કરશે. ત્યારબાદ, પરોઢિયે સૂર્યોદય પહેલાં ફરી નદીકાંઠે ઊગતા સૂર્યની આરાધના કરીને પૂજાનું સમાપન કરવામાં આવશે. આ દરમિયાન મીઠી પૂરી, મીઠા ભાત (બખીર), ફળ અને કાચા શાકભાજીનો ભોગ ધરાવવામાં આવશે.
નોંધનીય છે કે, અમદાવાદના પૂર્વના બાપુનગર, વિરાટનગર, ઠક્કરનગર, ખોડિયારનગર જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે, જેઓ શ્રદ્ધાપૂર્વક આ મહાપર્વની ઉજવણી કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!