1985માં બનેલો પાદરા બ્રિજ તૂટ્યો, નવા પુલની રજૂઆતો છતાં તંત્રે લીધો સમારકામથી સંતોષ
૪૦ વર્ષના પૂલના સ્પાન કથળ્યાં, તંત્રે રિપેરિંગથી નવી માંગને અવગણી દુર્ઘટના નોતરી

પાદરા બ્રિજ તૂટ્યો

પાદરા બ્રિજ તૂટ્યો
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક રોડ અને પુલો ખરાબ હાલતમાં આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રોડ રિપેરિંગને લગતી ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી જેમાં માર્ગ મકાન વિભાગે પ્રેઝન્ટેશન આપી વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. તેમાં જણાવાયું હતું કે, કુલ 243 પુલો પર સમારકામ અને મોનીટરીંગનું કામ ચાલુ છે. છતાં વડોદરાના પાદરામાં આવેલા મહિસાગર નદી પરના 40 વર્ષ જૂના "ગંભીરા બ્રિજ" અંગે કોઈ પગલાં કેમ ન લેવાયા એ અંગે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યાં છે.
આ બ્રિજનું બાંધકામ 1981માં શરૂ થયું હતું અને 1985માં તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. સમય જતાં આ બ્રિજ ખૂબ જર્જરિત બની ગયો હતો. જેથી સ્થાનિક લોકોએ સતત રજૂઆત કરી હતી કે, બ્રિજને તોડીને નવો બનાવવો જોઈએ. છતાં તંત્ર માત્ર થોડું ઘણું સમારકામ કરીને સંતોષ માનતું રહ્યું છે. બ્રિજ પરથી રોજે રોજ ભારે વાહનો પસાર થતા હતા અને તે ખુબ જ ખતરનાક બની ગયો હતો. 2022માં આ બ્રિજને "જર્જરિત" જાહેર કરવામાં આવ્યો હોવા છતાં પણ તેને ચાલુ જ રાખવામાં આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, તંત્રની ઘોર નિંદ્રા અને બેદરકારીને લીધે આ ગંભીર અકસ્માત સર્જાયો છે.
બ્રિજ તૂટી પડતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતાં વાહન વ્યવહારમાં ભારે અસર જોવા મળી રહી છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓના પ્રવાસીઓને આ બ્રિજ સૌથી નિકટનો માર્ગ પૂરું પાડી રહ્યો હતો. હવે બ્રિજ તૂટી જતાં લોકોને લાંબા રુટ અપનાવવા પડશે અને સમયની સાથે ખર્ચ પણ વધશે.
આ સમગ્ર ઘટના વધુ એકવાર તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરે છે. જ્યાં નવો પુલ જોઈએ ત્યાં માત્ર લિપાપોતુ સમારકામ કરવામાં આવ્યું અને અસલ સમસ્યાનો ઉકેલ લાવવામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!