Botad: કોઝવે પર કાર તણાતા BAPS ના બે હરિભક્તોનું મોત, એક સંત હજુ લાપતા!
જેમાં કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસીયા નામના હરીભક્તનો મોત નીપજ્યું હતુ.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી,અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી,અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.
રાજ્યના મોટા ભાગના જિલ્લોઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અને ઘણા જિલ્લાઓમાં અવિરત વરસાદ પણ વરસતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લોમાં સૌથી વધારે વરસાદ નોધાયો છે.જેમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા,દાંતીવાડા તાલુકામાં વરસાદ નોધાયો હતો. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે વરસાદને લીધે બોટાદના ગોઘવટા ગામ પાસે કાર તણાઈ ગઈ હતી. માહિતી અનુસાર કારમાં સવાર 7 હરીભક્તો તણાયા હતા. જેમાં કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસીયા નામના હરીભક્તનો મોત નીપજ્યું હતુ. જેમાં 4 નો આબાદ બચાવ થયો છે. જ્યારે હજુ 1 હરીભક્ત ગુમ છે. સ્થાનિક રેસ્ક્યુની ટીમ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી.
માહિતી અનુસાર બોટાદ નજીક આજે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક કોઝવે-વે પાર કરતી વખતે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના બે હરીભક્તોનો કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે હજુ એક સંત પણ લાપતા છે. સદનસીબે કારમાં સવાર અન્ય ચાર લોકોને આબાદ બચાવી લેવાયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, આ હરીભક્તો બોચાસણથી સાળંગપુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને આ અકસ્માત નડ્યો હતો. ભારે વરસાદ હોવાને કારણે કોઝવે પર પાણી પ્રવાહ વધારે હતો. જેના કારણે કાર પર કાબુ ગુમાવતા કાર પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ રેસ્ક્યુની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી હતી. હાલ ગુમ સ્વામીની શોધખોળ ચાલી રહી છે.
સ્થાનિક રેસ્ક્યુની ટીમ દ્વારા ગુમ હરિભક્તની શોધખોલ હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી,અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.
આ ઘટના બન્યા બાદ BAPS સંપ્રદાય અને સમગ્ર પંથકમાં શોકનો મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તંત્ર દ્વારા આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!