અંબાજી: 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
ગબ્બરના પહાડોમાં ભક્તિનો માહોલ, ત્રણ દિવસીય મહોત્સવમાં લાખો માઈભક્તો ઉમટશે

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
યાત્રાધામ અંબાજીમાં આજથી ત્રણ દિવસીય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નો મંગલ પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવ 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. લાખો શ્રદ્ધાળુઓ આ દિવ્ય પરિક્રમાનો લાભ લેવા માટે અંબાજી પહોંચી રહ્યા છે.
શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિના દર્શન :
ગબ્બર પર્વત પર 2.5 કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ પર અંદાજે ₹62 કરોડના ખર્ચે ભારત સહિત વિદેશોમાં સ્થિત તમામ 51 શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ અહીં પાકિસ્તાન, નેપાળ, તિબેટ અને બાંગ્લાદેશમાં આવેલા મૂળ શક્તિપીઠોના દર્શન એક જ સ્થાને કરી ધન્યતા અનુભવે છે.
મહોત્સવની વિશેષતા અને કાર્યક્રમો :
પ્રથમ દિવસ: ભવ્ય પાલખી યાત્રા અને ધજા યાત્રા સાથે પ્રારંભ થયો છે, જેમાં સાધુ-સંતો અને ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.
દ્વિતીય દિવસ: પવિત્ર 'શક્તિ યાગ' અને ત્રિશુલ યાત્રાનું આયોજન કરવામાં આવશે, સાથે જ પરિક્રમા સ્પર્ધા પણ યોજાશે.
તૃતીય દિવસ: જ્યોત યાત્રા અને મશાલ યાત્રા સાથે મહોત્સવનું ભક્તિમય સમાપન થશે.
ભક્તો માટે આધુનિક સુવિધાઓ :
યાત્રાળુઓની સુવિધા માટે સમગ્ર ગબ્બર પર્વતને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો છે. ભક્તો માટે અંબિકા ભોજનાલય, GMDC અને આર્ટસ કોલેજ સહિતના વિવિધ સ્થળોએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર માર્ગ પર પાણી, છાંયડો અને સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.