અમરનાથ યાત્રાની થઈ શરૂઆત, LG મનોજ સિંહાએ આપી લીલી ઝંડી, ગુજરાતીઓની સંખ્યામાં થયો ઘટાડો
જમ્મુથી અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ જૂથને LG મનોજ સિન્હાએ લીલી ઝંડી આપી.

અમરનાથ યાત્રા

અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રા 2025ની શરૂઆત થઈ ગઈ છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રદ્ધાળુઓના પ્રથમ જૂથને લીલી ઝંડી આપી. 38 દિવસ ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલટાલ રૂટથી યોજાશે. યાત્રાનો અંત 9 ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે થશે. સમગ્ર NH-44 માર્ગ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
LG મનોજ સિન્હાએ જણાવ્યું કે, અમરનાથ યાત્રા શ્રદ્ધાનું પ્રતિક છે અને કોઈપણ જોખમ તે શ્રદ્ધાને ડગમગાવી શકે નહિ. તેમણે આ યાત્રાને ઐતિહાસિક બનાવવાનો દાવો કર્યો અને જમ્મુ-કાશ્મીરના ગૌરવને પુનઃસ્થાપિત કરવાની તક ગણાવી.
જોકે, આ વખતની યાત્રામાં ગુજરાતના શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા અને હેલિકોપ્ટર સેવાના અભાવના કારણે ગુજરાતથી માત્ર 5000 જેટલા યાત્રાળુઓને જ જવાની શક્યતા છે. ગત વર્ષે આ સંખ્યા ઘણી વધારે હતી.
આ વર્ષે રજિસ્ટ્રેશન સંખ્યામાં પણ ઘટા઼ડો થયો છે. પહેલા 3.5 લાખ રજિસ્ટ્રેશન થયા હતા, હવે માત્ર 85,000 સુધી આવ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી 2023માં 455, 2024માં 430 અને આ વર્ષે અત્યારસુધી માત્ર 234 હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ જ આપવામાં આવ્યા છે.
ટૂર ઓપરેટરોના જણાવ્યા અનુસાર, અગાઉ 50થી વધુ ઈન્ક્વાયરી આવતી હતી, હવે માત્ર 1થી 2 થાય છે. ઘણા શ્રદ્ધાળુઓએ આ વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા પસંદ કરી છે. હેલ્થ ગાઈડલાઈન અનુસાર, આ યાત્રા પહેલા નિયમિત ચાલવાનું, યોગ કરવું અને દરરોજ ઓછામાં ઓછું 5 લીટર પાણી પીવાનું અનિવાર્ય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!