ઝાંસીની રાણી BRTS પાસે અકસ્માત, 2ના મોત
અમદાવાદના નહેરૂનગરમાં ઝાંસીની રાણી BRTS સ્ટેન્ડ નજીક અકસ્માતમાં 2ના ઘટનાસ્થળે મોત થયા
એક્ટિવા પર સવાર 2ના મોત
એક્ટિવા પર સવાર 2ના મોત
અમદાવાદમાં નહેરૂનગર વિસ્તારમાં આવેલી ઝાંસીની રાણી BRTS સ્ટેન્ડ પાસે મધરાતે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક બ્રેઝા કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચે ટક્કર થતાં, સ્કૂટર પર સવાર 2 યુવકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું. રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ થયેલ આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી.
પ્રાપ્ત માહિતી મુજબ, એક્ટિવા પર સવાર 2 યુવકો નહેરૂનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે બ્રેઝા કાર અત્યંત ઝડપે આવતા એક્ટિવા કારની ટક્કરે BRTS રેલીંગમાં ઘસી ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર અને બંને યુવકો BRTS ટ્રેકમાં ફંગોળાઈ ગયા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું. કાર ચાલક ઘટનાસ્થળે કાર મુકી ફરાર થઈ ગયો હતો.
અકસ્માત બાદ વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતની તપાસ શરૂ કરી છે. કારચાલકને અટકાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
મૃતકોમાં એક યુવાન તેના પરિવારનો મોટા પુત્ર હતો, જે ત્રણ નાનાં ભાઈઓના ભરણપોષણ માટે જવાબદાર હતો. આ અકસ્માત પછી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે અને તેઓએ અકસ્માતના જવાબદારને કડકમાં કડક સજા આપવાની માંગ ઉઠાવી છે.
પ્રથમદ્રષ્ટિએ સામે આવી રહ્યું છે કે, કાર BRTS રૂટમાં પ્રવેશી હતી, જે નિયમવિરુદ્ધ છે. આમ છતાં શહેરમાં અનેક લોકો નિયમોનું ઉલ્લંઘન કરતાં હોવાના કારણે આવા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ટ્રાફિક વિભાગ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.