સ્કૂલના ચોથા માળેથી ઝંપલાવી વિદ્યાર્થીનીનું મોત
સોમલલિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ચોથા માળેથી ઝંપલાવતા મોત થયું

સોમ લલિત સ્કૂલ

સોમ લલિત સ્કૂલ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જાણીતી સોમ લલિત સ્કૂલમાં એક બહુ જ દુઃખદ ઘટના બની છે. ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાની ચોથી માળેથી ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાઓને કારણે તેનુ સારવાર દરમિયાન મોત થયું હતું.
આ દુર્ઘટના ગુરુવારના રોજ બપોરના રિસેસ સમયે બની હતી. વિદ્યાર્થીનીએ શાળાની ઈમારતના ચોથા માળેથી અચાનક કૂદકો માર્યો હતો. તરત જ શાળાની ફેકલ્ટી અને સ્ટાફ દ્વારા તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેને ગંભીર માથાની ઈજાઓને કારણે ICUમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, અનેક પ્રયાસો છતાં પણ તેનુ મોત થયું.
પોલીસે ગુનાની વિગતો સંદર્ભે તપાસ શરૂ કરી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ. એ. દેસાઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા બાળકના માતા-પિતાની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે. જોકે હજુ સુધી વિદ્યાર્થીનીએ આ પગલાં શા માટે લીધું તે અંગે કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
હવે પોલીસ વિદ્યાર્થીઓના સાથીઓ, ક્લાસ ટીચર્સ અને શાળા સ્ટાફની પૂછપરછ કરી રહી છે. તેમજ વિદ્યાર્થિનીઓના મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ હાથ ધરાઈ છે, જેથી તેના માનસિક સ્થિતિ અંગે વધુ માહિતી મળી શકે.
તપાસમાં એક સંભવિત દિશા તરીકે અભ્યાસના દબાણને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ધોરણ 10નો તણાવ વિદ્યાર્થીઓ માટે માનસિક રીતે ભારે પડી શકે છે અને એ જ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે અને શાળાના સમગ્ર કેમ્પસના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી છે, જેથી ઘટના પહેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અને ઘટનાઓના ક્રમ વિશે સ્પષ્ટતા થઈ શકે.
આ દુઃખદ ઘટના શિક્ષણ તંત્ર, માતા-પિતા અને સમગ્ર સમાજ માટે ચિંતાની વાત છે કે, કેમ બાળકો પર વધતો અભ્યાસનો દબાણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!