અમદાવાદ: નાજ ગામમાંથી 6 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા
અસલાલી પોલીસે 10 વર્ષથી ગેરકાયદે રહેતા પરિવારને ઝડપ્યો: ચંડોળા તળાવમાં લેતા હતા આશરો

બાંગ્લાદેશી ઘૂસણખોર

બાંગ્લાદેશી ઘૂસણખોર
શંકાસ્પદ હિલચાલથી ભાંડો ફૂટ્યો :
બારેજાના નાજ ગામમાં પેટ્રોલિંગ દરમિયાન અસલાલી પોલીસની નજર એક ખેતરના બોર પર રહેતા કેટલાક વ્યક્તિઓ પર પડી હતી. તેમની શંકાસ્પદ ગતિવિધિઓને જોતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં કાલોન સોલેમાન મોલ્લા, મોહમ્મદ અરાફત મોલ્લા અને રીબાખાતુન મોલ્લા નામના ત્રણ શખ્સો બાળકો સાથે મળી આવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ મૂળ બાંગ્લાદેશના ખુલના જિલ્લાના વતની છે.
સરહદ ઓળંગી અમદાવાદ સુધીની સફર :
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ પરિવારે બાંગ્લાદેશની સતખીરા બોર્ડરથી પગપાળા ભારતમાં પ્રવેશ કર્યો હતો. બાસીરહાટથી ટેક્સી દ્વારા કોલકાતા અને ત્યારબાદ ટ્રેન મારફતે તેઓ કાળુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમની પાસે ભારતીય નાગરિકતાનો કોઈ પણ કાયદેસરનો પુરાવો મળી આવ્યો નથી.
ચંડોળા તળાવથી નાજ ગામ સુધીનું સ્થળાંતર :
આ ઘૂસણખોરો છેલ્લા 10 વર્ષથી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડા બાંધીને રહેતા હતા. જોકે, તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરાતા, તેઓ પકડાઈ જવાની બીકે અઢી મહિના પહેલા નાજ ગામની સીમમાં મજૂરીકામ માટે આવી ગયા હતા. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.