માંગરોળ નજીક પુલ સલામતી ખાતર તોડાયો
માંગરોળમાં જર્જરિત બ્રિજના સમારકામ સમયે સ્લેબ ધરાશાયી, 8 લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા

વડોદરાના ગંભીરા બાદ જૂનાગઢનો બ્રિજ તૂટ્યો

વડોદરાના ગંભીરા બાદ જૂનાગઢનો બ્રિજ તૂટ્યો
રાજ્યમાં બ્રિજ તૂટવાની ઘટનાઓનો સિલસિલો ચિંતાજનક રીતે યથાવત્ છે. વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં હજુ એક મૃતદેહ મળ્યો નથી. ત્યારે, આવી જ વધુ એક દુર્ઘટના જૂનાગઢ જિલ્લામાંથી સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે એક નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડ્યો, જેમાં હીટાચી મશીન સહિત આઠથી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઊંચેથી નદીમાં ખાબક્યા હતા, જોકે, સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે.
માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તોડવામાં આવ્યો છે: કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલ,
સ્લેબ ઉતારતી વખતે એક ભાગ નીચે પડ્યો છે એક પણ ને ઈજા નથી,જુનાગઢ જિલ્લામાં જર્જરીત પુલોના નિરીક્ષણ બાદ ત્વરિત કામગીરી થઈ રહી છે-કલેકટર અનિલ કુમાર રાણાવસિયા,કલેકટર અને કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ ની ટીમ માંગરોળ તેમજ અન્ય પુલ ના નિરીક્ષણ માટે સ્થળ પર જવા રવાના
મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે સવારે મોટી દુર્ઘટના ઘટી હતી. આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા એક પુલનો સ્લેબ તૂટી પડ્યો. આ ઘટનામાં હીટાચી મશીન સહિત આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા. પુલના સ્લેબ પર ઉભેલા આઠ-દસ લોકો પણ સીધા નદીમાં પડ્યા, પરંતુ કોઈપણ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી, જે એક મોટો ચમત્કાર ગણી શકાય.
આ મામલે ધારાસભ્યનું દેવા માલમનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. જોકે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તે તૂટી પડ્યું
આ મામલે ગામના સરપંચે નિવેદન આપતા કહ્યું છે કે નવો પુલ બનાવવા માટે જૂનો બ્રિજ તોડવામાં આવી રહ્યો હતો. જોકે આ દરમિયાન જ દુર્ઘટના સર્જાઈ ગઇ હતી કેમ કે બીજી સાઈડથી બ્રિજ તૂટી પડ્યો હતો. આ દરમિયાન હીટાચી મશીન સાથે કુલ 8 થી વધુ લોકો નદીમાં ખાબકી ગયા હતા. જોકે ઘટનાસ્થળે હાજર ટીમને કારણે તમામને બચાવી લેવામાં સફળતા મળી હતી. આ પુલ 20 થી 22 વર્ષ જૂનો હતો.ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું
આજક ગામે આવેલો આ પુલ કેશોદને માધવપુર સાથે જોડતો એક મહત્વનો માર્ગ છે, જ્યાં રોજ હજારો વાહનો પસાર થાય છે. આજે સવારે આ પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. હીટાચી મશીન સાથે કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતાં ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું હતું. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે, જેમાં પુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું સ્પષ્ટપણે દેખાય છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, પુલના સમારકામનું કામ અત્યંત જોખમભર્યું રીતે ચાલી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આવા અકસ્માતો સર્જાય છે. સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ રસ્તો એક જાહેર રસ્તો છે, હજારો વાહનો અહીંથી પસાર થાય છે. અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી છે."
ગંભીરા બ્રિજ દુર્ઘટનાની યાદ તાજી થઈઆ ઘટનાએ ગત 9 જુલાઈ, 2025ના રોજ બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાની યાદ તાજી કરાવી દીધી છે. મુજપુર અને આંકલાવને જોડતો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ મહત્વનો માર્ગ હતો. તે દુર્ઘટના દરમિયાન અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજુ એક મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. 1986માં બનેલો આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો અને સ્થાનિક લોકોએ અનેકવાર તેના સમારકામ કે નવા નિર્માણ માટે રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા.
આવી પુલ તૂટવાની ઘટનાઓ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના જાળવણી અંગે ગંભીર સવાલો ઊભા કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!