સુરતમાં ખાડી પૂર અટકાવવાના ઉકેલ માટે ઝડપથી કાર્યવાહી કરો, પાટીદાર અગ્રણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ધારાસભ્યનું સમર્થન
સુરતના ખાડી પૂર અટકાવવા માટે પાટીદાર અગ્રણી મથુર સવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી ટેકનિકલ ઉકેલ રજૂ કર્યો છે.

વરાછાના ધારાસભ્ય

વરાછાના ધારાસભ્ય
સુરતમાં વારંવાર થતાં ખાડી પૂરને અટકાવવા અંગે હવે વિસ્તૃત અને વાજબી ઉકેલ શોધવાની માંગ ઉઠી છે. પાટીદાર સમાજના અગ્રણી મથુર સવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી પાઈપલાઈન અને ડાયવર્ઝન માધ્યમથી ખાડીના પાણી તાપી નદીમાં લઈ જવાની વાત કરેલી છે. હવે આ સૂચનાને વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સમર્થન આપ્યું છે અને મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું છે કે, આ યોજના શક્ય છે કે કેમ તેનું તાત્કાલિક સર્વે કરાવવું જોઈએ.
મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે, અંત્રોલી નજીક છેડછા ગામથી નવા રીંગ રોડની સાઈડમાંથી પાઈપલાઈન નાખી ખાડીના પાણીને વાલક ગામ નજીક તાપી નદીમાં છોડવામાં આવે તો પૂર જેવી સ્થિતિ અટકાવી શકાય છે. તેઓએ ઉલ્લેખ કર્યો કે, સૌની યોજનામાં પાઈપલાઈનની મદદથી પાણીના વહન માટે 4 અલગ રૂટ બનાવાયા છે. તે જ મોડલ પરથી સુરતમાં પણ આ યોજના અમલમાં મૂકવું શક્ય છે.
મથુરભાઈએ પત્રમાં જણાવ્યું કે, આખું ક્ષેત્ર લગભગ 7 કિલોમીટરનું છે અને આજના ટેકનોલોજીના યુગમાં સારી રીતે પાર પાડી શકાય એવું કાર્ય છે. સુરત મહાનગરપાલિકા પાસે આ યોજનાને અમલમાં મુકવા માટે પૂરતી શક્તિ અને સંસાધન છે.
આ અંગે આજ રોજ ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, મથુરભાઈના સૂચનો મહત્વપૂર્ણ છે. તેમને સમર્થન આપી ધારાસભ્યે સરકારને વિનંતી કરી છે કે, તાત્કાલિક સર્વે કરીને આ યોજના અમલમાં મૂકી સુરતના નાગરિકોને ખાડી પૂરથી બચાવવાનું કાર્ય તરત શરૂ કરવું જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!