સ્માર્ટ સીટી અમદાવાદ ખાડામાં, જુન માસમાં રોડની સમસ્યાની 5033 ફરિયાદો
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે તંત્ર પર લગાવ્યો આરોપ

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે તંત્ર પર લગાવ્યો આરોપ

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે તંત્ર પર લગાવ્યો આરોપ
અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે માત્ર જુન માસમાં રોડની સમસ્યાઓ બાબતે ૫૦૩૩ જેટલી રેકોર્ડબ્રેક ઓનલાઈન ફરિયાદો તંત્ર તથા સત્તાધીશો દ્વારા ખાડા/ભુવા પડવા તથા રોડ તુટવા બાબતે જણાવેલ તેના કરતાં પણ વધુ ફરિયાદો ઓનલાઈન આવેલ છે જેથી વાસ્તવિકતા કંઇક જુદી ભાજપ દ્વારા કહેવાતી સ્માર્ટ સીટી ભાજપના રાજમાં બની ભુવા સીટી - ખાડા સીટી
અમદાવાદ મ્યુનિ.કોર્પો દ્વારા દર વર્ષે આશરે અમદાવાદ શહેરના નગરજનોને સારા રોડ રસ્તાની સુવિધા મળી રહે તેવા ઉદ્દેશથી નવા રોડ બનાવવા, જુના રોડ રીસરફેસ કરવા તથા પેચર્વકના કામો માટે દર વર્ષે રૂા. ૧૦૦૦ કરોડથી વધુ રકમના રોડના કામો માટે ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં અમદાવાદ શહેર ભુવાનગરી બની જવા પામેલ છે નગરજનો દ્વારા માત્ર તા.૧-૦૯-૨૫ થી તા.૩૦-૦૬-૨૫ સુધી એટલે કે માત્ર જુન માસમાં રોડની સમસ્યાઓ બાબતે ૫૦૩૩ જેટલી રેકોર્ડબ્રેક ઓનલાઈન ફરિયાદો કરવામાં આવેલ છે. તેમાં ૩૨૬૪ જેટલી ફરિયાદો રોડ તુટી જવાની અને ૮૩૮ જેટલી ભુવા પડવાની ફરિયાદો છે તેમાં મુખ્યત્વે પશ્ચિમ ઝોનની ૯૯૦ મધ્ય ઝોનની ૭૪૩ ઉત્તર ઝોનની ૭૩૪ છે આ આંકડો માત્ર ઓનલાઇન ફરિયાદોનો છે મ્યુ.કોર્પોનું તંત્ર તથા સત્તાધીશો પ્રેસના માધ્યમથી ખાડા તથા રોડ તુટવા બાબતે જણાવેલ તેના કરતાં પણ વધુ ફરિયાદો ઓનલાઇન આવેલ છે પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી હોવાનું ચિત્ર સ્પષ્ટ થાય છે.
તેમણે કહ્યું કે સમગ્ર અમદાવાદમાં સામાન્ય વરસાદમાં નવા બનાવેલા રોડ તહસ નહસ થઈ જવા, ઠેર ઠેર રોડ ઉપર નાના મોટા ગાબડા પડવા તથા ભુવા પડવા તેમજ મોટા ભાગના રોડની કપચી ઉખડી ધોવાઈ જવા પામે તે બાબતનું દર વર્ષે પુનરાવર્તન થતું રહે છે તેના કારણે નગરજનો દ્વારા કોર્ટનો આશરો લઈને જાહેર હીતની અરજી કરવી પડે છે જેને કારણે નગરજનોમાં મ્યુનિ.કોર્પોની છબી ખરડાવા પામી હતી તંત્ર તથા સત્તાધીશોની ભણુચાર આચરવાને કારણે અમદાવાદ શહેર ભાજપ દ્વારા કહેવાતાં સ્માર્ટ સીટી સાચા અર્થમાં ભુવા/ખાડા સીટી બની જવા પામેલ છે રોડના કામોમાં થતાં ભાચારના હીન પ્રયાસોને છુપાવવા સત્તાધીશો દર વર્ષે નીત નવા ગતકડાં લાવે છે જેમકે પહેલાં ડસ્ટ ફ્રી રોડ પછી વોલ ટુ વોલ રોડ, મોડેલ રોડ, પછી પ્લાસ્ટીક રોડ, ઈટ ટોપિંગ રોડ, અને હવે આઇકોનીક રોડ ! તેમ છતાં તંત્રને તથા ભાજપના સત્તાધીશોને હજુ સુધી ખબર નથી કે કયા રોડ સારા અને ટકાઉ રહેશે જેથી આવા નીત નવા અખતરાં કરી પ્રજાને લોલીપોપ આપી ભષ્ટ્રાચાર આચરવાના નિત નવ નવા અખતરાં સત્તાધીશો દ્વારા કરવામાં આવે છે
તેમણે જણાવ્યું કે વિવિધ રોડની બદતર હાલત થવા તથા ભુવા પડવા બાબતે રોડની વિવિધ સમસ્યાઓ અમદાવાદની પ્રજાને આમાંથી ક્યારે મુક્તિ મળશે? સારા અને ટકાઉ રોડ કયારે મળશે? રોડના કૌભાંડીઓને કયારે સજા થશે? તેનો જવાબ પ્રજા અમારી પાસે માંગી રહી છે તેનો જવાબ પ્રજાને તેનો સ્પષ્ટ જવાબ જણાવવાની સંર્પૂણ જવાબદારી તંત્રની તથા ભાજપના સત્તાધીશોની છે રોડના કામોમાં થતી ગેરરીતી તથા ભષ્ટ્રાચારને તાકીદે રોકી પ્રજાને સારી અને ઉત્તમ ગુણવત્તાવાળા ટકાઉ રોડ મળી રહે તેવા રોડ બનાવવા તેમજ રોડની બદતર હાલત તથા ભુવા પડવાની સમસ્યાઓ માંથી અમદાવાદની પ્રજાને કાયમી મુક્તિ મળે તે માટેની યોગ્ય કાર્યવાહી તાકીદે કરવા અમારી માંગણી છે.
આ પણ વાંચો---
Ahmedabad: વરસાદે ખોલી મ્યુનિસિપલ કોર્પોરેશનની નબળાઈઓ, કમિશનરનો કડક આદેશ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!