CAA અંતર્ગત 185 લોકોને મળી ભારતીય નાગરિકતા
રાજકોટમાં CAA હેઠળ પાકિસ્તાની શરણાર્થી 185 લોકોને ભારતીય નાગરિકત્વ એનાયત

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
રાજકોટમાં આજે ઐતિહાસિક ક્ષણ જોવા મળી જ્યારે પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા 185 લોકોને ભારતીય નાગરિકત્વ એનાયત કરાયું. આ કાર્યક્રમ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)-2019 અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આત્મીય યુનિવર્સિટીમાં યોજાયો.
મુખ્ય મેહમાન તરીકે હાજર રહેલા હર્ષ સંઘવીએ કહ્યું કે, આજે આ લોકો માટે નવું જીવન શરૂ થયું છે, અને તેઓ હવે ભારતના સમાન અધિકાર ધરાવતા નાગરિક છે. તેમના વાક્ય 'હસતા રહો... હવે તમે મહાન ભારતના નાગરિક છો.' સાંભળીને ઉપસ્થિત વિસ્થાપિતોમાં આનંદની લાગણી છલકાઈ હતી.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ નાગરિકતા કેમ્પમાં CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન વગેરે લઘુમતી સમાજના લોકોને નાગરિકત્વ અપાયું. ડૉ. ઓમપ્રકાશનું રાજકોટ જિલ્લા કલેક્ટરના સૂચનથી આયોજન કરવામાં આવ્યું.
મંત્રીશ્રીએ કહ્યું કે, પાકિસ્તાનમાં દીકરીઓ પણ સુરક્ષિત નથી, ત્યાંના લઘુમતી સમાજે વર્ષોથી અત્યાચાર સહન કર્યા છે. તેમણે એક મેડિકલ સ્ટુડન્ટ દીકરીનું ઉદાહરણ આપીને કહ્યું કે, એને શિક્ષણ પૂર્ણ કર્યા પછી પણ દુષ્કર્મનો ભોગ બનવું પડ્યું. પાકિસ્તાનમાંથી આવેલા લોકો હવે વસુધૈવ કુટુંબકમની ભાવના ધરાવતા ભારતના નાગરિક છે, એમ તેમણે જણાવ્યું.
હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો કે, જેમણે આ કાયદો અમલમાં લાવીને હજારો જીવને સુરક્ષિત કર્યા છે. તેમણે આ લાભાર્થીઓને સરકારની યોજનાઓમાં પણ જોડવાની સૂચના તંત્રને આપી હતી.
મંચ પર હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા અને નાગરિકત્વ મેળવનાર અનેક લાભાર્થીઓ તો ભાવુક પણ થઈ ગયા.
કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી, ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશ ટીલાળા, ડૉ. દર્શિતા શાહ, તેમજ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડેપ્યુટી મેયર અને અન્ય વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જ્યારે પાકિસ્તાનમાં સ્વજનોને છોડીને આવવું પડ્યું ત્યારે દુઃખ થયું હશે, પણ હવે તમે ભારત પરિવારના ભાગ છો, તમારું ભવિષ્ય તેજસ્વી બને એ સરકારની જવાબદારી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!