પંજાબી સિનેમાના કોમેડી કિંગ જસવિંદર ભલ્લાનું નિધન
પંજાબી ફિલ્મ જગતના કોમેડિયન જસવિંદર ભલ્લાનું 65 વર્ષની ઉંમરે નિધન ચાહકોમાં શોકની લાગણી
કોમેડી કિંગ જસવિંદર ભલ્લા
કોમેડી કિંગ જસવિંદર ભલ્લા
પંજાબી ફિલ્મના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા જસવિંદર ભલ્લાના મોહાલીમાં આવેલા ફોર્ટિસ હોસ્પિટલમાં 65 વર્ષની વયે નિધન થયા છે. આ દુઃખદ સમાચારથી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લાંબી માંદગી બાદ શુક્રવારે તેમનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર શનિવારે બપોરે 12 વાગ્યે મોહાલી નજીકના શમશાન ઘાટ પર કરવામાં આવશે.
જસવિંદર ભલ્લાએ તેમની અનોખી કોમિક ટાઈપિંગ અને સરળ અભિનયથી લાખો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું. 'ગદ્દી ચલતી હૈ છલાંગા માર કે', 'કેરી ઓન જટ્ટા', 'જિંદ જાન', 'નૌકર વોહટી દા', અને 'બેન્ડ બાજે' જેવી ફિલ્મોમાં તેમના પાત્રોએ દર્શકોને ખૂબ હસાવ્યા અને તેમના ચહેરા પર હંમેશા સ્મિત જાળવી રાખ્યું. તેઓ પ્રોફેસર તરીકે પોતાનું કેરિયર શરૂ કરવા માંગતા હતા, પણ1988માં તેમણે કોમેડિયન તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો અને ઝડપથી સફળતા મેળવી.
તેમણે પંજાબી કોમેડીને એક નવા સ્તરે પહોંચાડી. તેમના સંવાદોમાં રહેલી સાદગી અને વ્યંગ દરેક વર્ગના દર્શકોને આકર્ષિત કરતી હતી. તેમના અવસાનથી પંજાબી સિનેમાને એક મોટી અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ પડી છે. પ્રશંસકો અને કલાકારોએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
અભિનેતા અમિત બાવાએ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરી લખ્યું કે, "દુનિયાને હસાવનાર આજે આપણને રડાવીને ચાલ્યા ગયા. જસવિંદર ભલ્લા ભારતના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક હતા. પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વિશ્વમાં ઓળખ અપાવવામાં તેમની ભૂમિકા અગત્યની હતી. તેમનું નિધન અપૂર્ણીય ક્ષતિ છે. વાહે ગુરુ પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે."
આ સમાચાર પંજાબી ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટી ખોટ છે અને તેમના ચાહકોમાં ઊંડા શોકની લાગણી છે.

કૃતિ સેનનની રક્ષાબંધન જ્વેલરી જાહેરાતમાં પાલતુ કૂતરાને રાખડી બાંધવાના દૃશ્યથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. નેટીઝન્સ અને કાશીના કેટલાક વિદ્વાનોએ જાહેરાતની રજૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ