PM મોદીનો લાલુ યાદવના પરિવાર પર કર્યા આકરા પ્રહાર
PM મોદીએ કહ્યું કે, 'આ લોકો જામીન પર બહાર ફરી રહ્યા છે,' જ્યારે NDA સરકાર ગરીબોની સેવા કરી

PM મોદી

PM મોદી
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં જોરદાર પ્રચાર શરૂ કર્યો છે. આજે, 24 ઓક્ટોબરના રોજ, સમસ્તીપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતાં PM મોદીએ રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવના પરિવાર પર સીધો અને આકરો કટાક્ષ કર્યો હતો. PM મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે, "આ લોકો જામીન પર બહાર હરી-ફરી રહ્યા છે, તેમના પર ચોરીના કેસ છે." આ ટિપ્પણી દ્વારા તેમણે સીધા જ ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર બહાર રહેલા લાલુ યાદવ અને તેમના પરિવારને નિશાન બનાવ્યા હતા. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વખતે ફરી બિહારમાં સુશાસન સ્થાપિત થશે અને NDA સરકાર જ સત્તા પર આવશે.
બિહારના લોકોનો આભાર વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં બિહારના લોકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, 'હાલ તમે GST બચત ઉત્સવનો આનંદ માણી રહ્યા છો અને કાલથી છઠ્ઠ પૂજાનું મહાપર્વ શરૂ થવા જઈ રહ્યું છે. આવા વ્યસ્ત સમયમાં તમે મોટી સંખ્યામાં અહીં આવ્યા છો, સમસ્તીપુરમાં જે માહોલ છે, મિથિલાનો જે મૂડ છે, તેણે ખાતરી આપી દીધી છે કે, નવી ગતિ સાથે બિહાર ચાલશે, ફરી એકવાર NDA સરકાર આવશે." તેમણે પ્રાસંગિક રીતે RJDના ચૂંટણી પ્રતીકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હવે મોબાઈલ આવી ગયા છે, તેથી બિહારને 'લાલટેન'ની જરૂર નથી.
આ પણ વાંચો: IRCTC કૌભાંડ: લાલુ, તેજસ્વી અને રાબડી દેવી પર આરોપ
અમારી સરકાર ગરીબોની સેવા કરી રહી: PM
PM મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, "અમારી સરકાર ગરીબોની સેવા કરી રહી છે." તેમણે NDA સરકારની ગરીબલક્ષી યોજનાઓ ગણાવી, જેમાં ગરીબોને પાક્કું ઘર, મફત અનાજ, પીવાનું પાણી અને શૌચાલય સહિત અનેક સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત વિચારધારાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, BJP કર્પૂરી ઠાકુરના માર્ગે ચાલી રહી છે અને સરકારે તમામ પછાત લોકોના હિતને પ્રાધાન્ય આપ્યું છે.
કર્પૂરીજીનું પણ યોગદાન પણ યાદ કર્યું
પછાત અને ગરીબ પરિવારોના કલ્યાણમાં કર્પૂરી ઠાકુરના યોગદાનને યાદ કરતાં PM મોદીએ કહ્યું કે, "અમારા જેવા પછાત અને ગરીબ પરિવારમાંથી આવતાં લોકો આજે આ મંચ પર ઊભા છે, તેમાં કર્પૂરીજીનું પણ યોગદાન છે. તેમાં ભારતના અનમોલ રત્ન હતાં. તેમને ભારત રત્ન વડે સન્માનિત કરવાની તક મળી, આ અમારા માટે સૌભાગ્યની વાત છે." તેમણે ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવાની દાયકાઓ જૂની માંગણીને NDA સરકાર દ્વારા પૂરી કરવાની વાત પણ યાદ અપાવી. PM મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રાદેશિક ભાષા પર ભાર મૂકવાનો ઉલ્લેખ કરીને કર્પૂરી બાબુના માતૃભાષામાં અભ્યાસના આગ્રહને પણ સન્માન આપ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ