શ્રીનગરમાં બટાલિયન મુખ્યાલયથી BSF જવાન ગુમ
એક BSF જવાન ગુમ થતાં સુરક્ષા દળોએ મોટા પાયે શોધખોળ શરૂ કરી

BSF જવાન ગુમ

BSF જવાન ગુમ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત સીમા સુરક્ષા દળ BSFના 60મી બટાલિયનનો એક જવાન ગુમ થયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, BSF જવાન સુગમ ચૌધરી ગુરુવારની મોડી સાંજે શ્રીનગરના પંથાચોક વિસ્તારમાં આવેલા પોતાના બટાલિયન મુખ્યાલયમાંથી અચાનક ગુમ થયો હતો.
તેના ગુમ થવાની જાણ થતાં જ સુરક્ષા દળોએ મોટા પાયે શોધ અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ અત્યાર સુધી BSF જવાનનો કોઈ પત્તો મળ્યો નથી. આ ઘટનાથી સુરક્ષા એજન્સીઓમાં ચિંતાનો માહોલ છે. પોલીસે આ મામલે ગુમ થયાનો રિપોર્ટ નોંધ્યો છે અને આ વિશે વધુ તપાસ ચાલી રહી છે.
ભારતીય સુરક્ષા દળો હાલમાં જમ્મુ-કાશ્મીર અત્યંત હાઈ એલર્ટ પર છે. નવી દિલ્હી દ્વારા 22 એપ્રિલે પહેલગામના બેસરન મેદાનમાં થયેલા 26 નાગરિકોના હત્યાકાંડનો બદલો લેવા માટે 'ઓપરેશન સિંદૂર'ની જાહેરાત કરવામાં આવી છે.
તાજેતરમાં, 28 જુલાઈએ શ્રીનગર જિલ્લાના હરવાન ક્ષેત્રમાં આવેલા દાચીગામ નેશનલ પાર્કમાં 'ઓપરેશન મહાદેવ' અંતર્ગત સંયુક્ત સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સુલેમાન શાહ સહિત 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જેમાં અબુ હમઝા અને જીબ્રાન ભાઈનો પણ સમાવેશ થતો હતો. આ કાર્યવાહીથી BSF જવાન ગુમ થવાના કેસમાં વધુ રહસ્ય ઘેરાયું છે.
આ પ્રદેશમાં સુરક્ષા દળો આતંકવાદીઓ, તેમના સહયોગીઓ અને સમર્થકો વિરુદ્ધ આક્રમક અભિયાનો ચલાવી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે, હવાલાના પૈસા અને ડ્રગ્સની તસ્કરી દ્વારા એકત્રિત કરવામાં આવતા ગેરકાયદેસર ભંડોળનો ઉપયોગ આતંકવાદને વેગ આપવા માટે થાય છે. તેથી હવે માત્ર આતંકવાદીઓને મારવાને બદલે, સમગ્ર આતંકવાદી નેટવર્કને ખતમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
આવા સંવેદનશીલ સમયમાં BSF જવાનના ગુમ થવું એ ગંભીર ઘટના છે. સુરક્ષા દળો આ કેસમાં દરેક એન્ગલમાં તપાસ કરી રહ્યા છે. આ ઘટના અંગે BSF જવાનને લગતી કોઈ પણ માહિતી મળે તે માટે જનતાને પણ અપીલ કરવામાં આવી છે.

પરમાણુ શક્તિથી ચાલતું બ્યુરેવસ્તનિક, અદમ્ય અંતર અને રડાર ટાળવાની ક્ષમતા

વૈશ્વિક તણાવ વચ્ચે રશીયાની ત્રણેય પાખનો nuclear અભ્યાસ

ખાનગી ક્ષેત્રને મિસાઈલ અને ગોળા બનાવવાની મંજૂરીથી રક્ષણ સ્વાવલંબન તરફ દોડ