ગિરનાર પર્વત પર લાડુ નિર્વાણ ઉત્સવથી વિવાદ વકર્યો
જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

AI જનરેટેડ

AI જનરેટેડ
Tension between faith and rules in Girnar: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોને લઈ તણાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. દેશભરમાંથી જૈન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભગવાન નેમીનાથના દર્શન માટે પહોંચ્યા હતા. તેના કારણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટીતંત્રએ ગિરનાર પર નવા ધાર્મિક કાર્યક્રમો, સૂત્રોચ્ચાર અને વિશેષ પૂજા-વિધિ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલી બનાવ્યું હતું.
કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે લાડુ ચડાવાયા
પ્રશાસને સુરક્ષા માટે 425 પોલીસ કર્મચારીઓ, 20 PI, 35 PSI, SRP, LCB, SOG અને પ્રથમ વખત SDRFની ટીમને પણ તૈનાત કરી હતી. તેમ છતાં કેટલીક મહિલાઓ પોલીસની નજર ચૂકવી લાડુ સાથે ગિરનાર પર પહોંચી ગઈ અને શરૂઆતની સીડીઓ પર લાડુ અર્પણ કર્યાની ઘટના બની હતી. આ બનાવ બાદ સુરક્ષા વ્યવસ્થા અંગે લોકોમાં તરેહ તરેહની ચર્ચા શરૂ થઈ છે.
દૂધધારા અભિષેક યાત્રા સ્થગિત
રૈયવત સમિતિ અને સંતો દ્વારા આયોજીત કરાયેલી દૂધધારા અભિષેક યાત્રાને વહીવટી તંત્રે આગળ વધવાની મંજૂરી આપી નહોતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજકોએ યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લીધો. આયોજકોનું કહેવું છે કે ધાર્મિક પરંપરા અનુસાર કાર્યક્રમ યોજવાનો પ્રયાસ હતો. પરંતુ કાયદાકીય મર્યાદાઓને ધ્યાનમાં રાખીને યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે.
દૂધધારા અભિષેક યાત્રાને પોલીસે અટકાવી
ગિરનારના ઇતિહાસમાં પ્રથમ વખત રૈયવત સમિતિ દ્વારા પરંપરાગત દૂધધારા અભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ગિરનારના પ્રવેશ દ્વાર પાસે પહોંચતાં પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ જાહેરનામાનું ભંગ થતું હોવાનું કારણ આગળ ધરીને ગિરનાર ઉપર પવિત્ર દૂધ લઈ જવાની મનાઈ કરી દીધી હતી. રૈયવત સમિતિનો દાવો છે કે તેઓએ યાત્રામાં સામેલ તમામ લોકોનું નિયમ મુજબ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમ છતાં પ્રશાસન દ્વારા હાલ યાત્રાને ગિરનારની સીડીઓ પાસે રોકી દેવામાં આવતાં સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જાહેરનામાના ઉલ્લંઘન અંગે તપાસ શરૂ
જૂનાગઢ પોલીસના જણાવ્યા મુજબ ગિરનાર પર લાગુ જાહેરનામાનું પાલન થાય તે માટે દેખરેખ રાખવામાં આવી રહી છે. લાડુ ચડાવવાની ઘટનામાં જાહેરનામાનો ભંગ થયો હતો કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના આધારે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
પ્રથમ વખત ફરજિયાત રજિસ્ટ્રેશન વ્યવસ્થા
આ વર્ષે ગિરનાર પર આવતાં યાત્રાળુઓ માટે પ્રથમ વખત ઓનલાઇન અને ઓફલાઇન રજિસ્ટ્રેશન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રક્રિયાથી કેટલા લોકો પર્વત પર ગયા અને કેટલા પરત આવ્યા તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ રહેશે. જેથી કોઈપણ ઇમરજન્સી સમયે બચાવ કામગીરી સરળ બની શકે. જો કે, પ્રથમ દિવસે જ રજિસ્ટ્રેશન વ્યવસ્થા ખોરવાઈ જતાં હાસ્યાસ્પદ સ્થિતિ બની હતી.
જૈન અને સનાતન વચ્ચે શું છે વિવાદ?
ગિરનાર પર દર વર્ષે ભગવાન નેમીનાથજીના મોક્ષ કલ્યાણક નિમિત્તે જૈન સમાજ દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જૈન પરંપરા અને માન્યતા અનુસાર, ભગવાન નેમીનાથજીને ગિરનાર પર્વત પર મોક્ષ પ્રાપ્ત થયો હતો. તેથી ગિરનાર પર્વત જૈન સમુદાય માટે અત્યંત પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર ગણાય છે. દર વર્ષે પવિત્ર મોક્ષ કલ્યાણક મહોત્સવમાં ભાગ લેવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ પધારે છે.
મહોત્સવ દરમિયાન યોજાતા મુખ્ય ધાર્મિક કાર્યક્રમોમાં હજારો જૈન શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત ચડીને ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરે છે. આ દરમિયાન પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોના માંગલિક પ્રવચનો અને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. સમગ્ર મહોત્સવનું મુખ્ય આકર્ષણ ભગવાનને 'નિર્વાણ લાડુ' અર્પણ કરવાની વિધિ હોય છે.
ગિરનાર પર્વત સાથે લાંબા સમયથી ધાર્મિક વિવાદ જોડાયેલો છે. જે મુખ્યત્વે પાંચમી ટૂક (દત્તાત્રેય શિખર અથવા નેમીનાથ નિર્વાણ ભૂમિ) તરીકે ઓળખાતા સ્થાનને લઈને છે. જૈન સમાજનો દાવો છે કે પાંચમી ટૂક ભગવાન નેમીનાથની પવિત્ર નિર્વાણ ભૂમિ છે. તેથી ત્યાં જૈન પરંપરા મુજબ પૂજા-અર્ચના કરવાના તેમના અધિકારો અબાધિત રહેવા જોઈએ.
સામે પક્ષે હિંદુ ધાર્મિક પરંપરામાં આ શિખરને ભગવાન દત્તાત્રેય સાથે જોડાયેલું અત્યંત પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ સ્થળની માલિકી, પૂજા કરવાના હકો અને મૂળ ધાર્મિક સ્વરૂપને લઈને વર્ષોથી બંને પક્ષો વચ્ચે મતભેદો પ્રવર્તે છે. આ સંવેદનશીલ મુદ્દે અનેક કાયદાકીય વિવાદો સર્જાયા છે અને હાલમાં સમગ્ર મામલો કોર્ટમાં છે. બીજી તરફ સનાતન ધર્મના અનેક સાધુ સંતો પણ ગિરનાર પર લાડુ નિર્માણ ઉત્સવને લઈ કાર્યક્રમ ન યોજવા તંત્રને રજૂઆતો કરી ચૂક્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

સગા મોટાભાઈએ સગીર બહેન પર દુષ્કર્મ કરતાં ગર્ભ રહી ગયો, ગર્ભપાતની અરજી કોર્ટે કરી નામંજૂર