રાજ ઠાકરેની ચેતવણી: નમો સેન્ટર તોડી નાખીશું
રાજ ઠાકરેએ ઐતિહાસિક કિલ્લાઓ પર નમો ટુરિસ્ટ સેન્ટર બનશે તો વિરોધની ચેતવણી આપી

રાજ ઠાકરે નમો ટુરિસ્ટ વિવાદ

રાજ ઠાકરે નમો ટુરિસ્ટ વિવાદ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્યના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેને સીધી ચેતવણી આપી છે કે જો ઐતિહાસિક કિલ્લાઓ પર નમો ટુરિસ્ટ સેન્ટર બનાવાશે, તો તેને તોડી નાખવામાં આવશે. માહિતી મુજબ રાજ્ય સરકારે આવા સેન્ટર માટે 20 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે, જે વિવાદનું કારણ બન્યો છે.
ઐતિહાસિક કિલ્લાઓ પર વિવાદ :
રાજ ઠાકરેએ મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન મનસે કાર્યકર્તાઓને સંબોધન આપતાં જણાવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાઓ મહારાષ્ટ્રની આસ્થા સાથે જોડાયેલા છે અને ત્યાં કોઈ રાજકીય પ્રચાર અથવા નમો ટુરિસ્ટ સેન્ટર સ્વીકાર્ય નથી. તેમણે જણાવ્યું કે શહેરી વિકાસ વિભાગના નેતૃત્વ હેઠળ આવું આયોજન ચાલી રહ્યું છે, જે રાજ્યની સંસ્કૃતિ માટે અપમાનજનક ગણાય શકે છે.
EVM મુદ્દે વિપક્ષ સાથે એકતાનું પ્રદર્શન :
રાજ ઠાકરે હવે EVMના ઉપયોગ પર સવાલ ઉઠાવતા વિપક્ષ સાથે જોડાયા છે. તેઓ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, NCP (SP) પ્રમુખ શરદ પવાર અને અન્ય વિપક્ષી નેતાઓ સાથે 1 નવેમ્બરે મુંબઈમાં યોજાનાર વિરોધ માર્ચનું નેતૃત્વ કરશે. આ રેલી મતદાર યાદીઓમાં ગેરરીતિ અને ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો અંગે ચિંતા વ્યક્ત કરવા માટે યોજાશે.
વિપક્ષની સંયુક્ત રણનીતિ :
ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે અને શરદ પવારે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં રેલીની રૂપરેખા નક્કી કરી હતી. બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા નસીમ ખાન, શેતકરી કામગાર પક્ષના જયંત પાટિલ અને અન્ય ડાબેરી પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસનો સમર્થન અને નિવેદન :
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે જણાવ્યું કે પાર્ટી આ વિરોધ માર્ચનું સંપૂર્ણ સમર્થન કરે છે. તેમણે જણાવ્યું કે રેલીનું મુખ્ય ધ્યેય મતદાર યાદીઓને ભૂલમુક્ત અને અપડેટેડ કરવાનું છે, કારણ કે આ મુદ્દો સૌપ્રથમ કોંગ્રેસે જ ઉઠાવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?