બિહારમાં NDAનું શક્તિપ્રદર્શન; ગઠબંધનમાં ખેંચતાણ
યોગી, પવન કલ્યાણ સહિતના દિગ્ગજો નામાંકનમાં હાજર: મહાગઠબંધનમાં બેઠક-વહેંચણીનો પેચ યથાવત્

ખેસારીની પત્નીને છાપરાથી ચૂંટણી મેદાનમાં ઉતારી.

ખેસારીની પત્નીને છાપરાથી ચૂંટણી મેદાનમાં ઉતારી.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાના નામાંકનની અંતિમ તારીખ (17 ઓક્ટોબર) નજીક આવતા રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ NDA પોતાના ઉમેદવારોના નામાંકનમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને બોલાવીને શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે, તો બીજી તરફ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો હજુ સુધી વણઉકેલાયેલો છે.
NDAના દિગ્ગજોનો ધમધમાટ
ગુરુવાર, 16 ઓક્ટોબરના રોજ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સહિત અનેક અગ્રણી નેતાઓ બિહારમાં વિવિધ ઉમેદવારોના નામાંકનમાં હાજરી આપશે.
ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના નામાંકન દરમિયાન સીએમ વિષ્ણુદેવ સાંઈ હાજર રહેશે.
સીએમ નીતિશ કુમાર જેડીયુના મંત્રી વિજય કુમાર ચૌધરી અને મદન સાહનીના નામાંકનમાં જોડાશે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથ ભાજપના ઉમેદવાર રામકૃપાલ યાદવ (દાનાપુર) અને આલોક રંજન (સહરસા)ના નામાંકનમાં હાજર રહેશે.
આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ કુમ્હરાર બેઠક પર ભાજપના સંજય ગુપ્તાના નામાંકનમાં હાજરી આપશે.
મહાગઠબંધનમાં સીટ-શેરિંગનો મડાગાંઠ
નામાંકનના આખરી દિવસો નજીક હોવા છતાં, મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો મામલો અટકેલો છે. આ મુદ્દાને ઉકેલવા માટે બુધવારે મોડી રાત સુધી (સવારે 2 વાગ્યા સુધી) તેજસ્વી યાદવના નિવાસસ્થાને કોંગ્રેસ, VIP અને આરજેડીના નેતાઓ વચ્ચે બેઠક ચાલી હતી. જોકે, બેઠક પછી કોંગ્રેસના નેતાઓ મૌન રહ્યા હતા. સૂત્રોના મતે, આજે ગુરુવારે સીટ-શેરિંગની ફોર્મ્યુલા સ્પષ્ટ થઈ જવાની સંભાવના છે.
જોકે, સીટ-શેરિંગની સત્તાવાર જાહેરાત પહેલા જ કોંગ્રેસ અને આરજેડીએ ઘણા ઉમેદવારોને પ્રતીકોનું વિતરણ શરૂ કરી દીધું છે. આરજેડીએ રામવિલાસ પાસવાનના નજીકના સૂરજ ભાન સિંહની પત્ની વીણા દેવીને મોકામા બેઠક પરથી અને ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવની પત્ની ચંદા દેવીને છાપરા બેઠક પરથી ઉમેદવારી આપી છે. કોંગ્રેસે પણ અનેક બેઠકો પર ઉમેદવારોને પ્રતીકો ફાળવ્યા છે, જેના ફોટા ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
AIMIMનું ગઠબંધન જાહેર
દરમિયાન, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ આઝાદ સમાજ પાર્ટી અને સ્વામી પ્રસાદ મૌર્યની જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. AIMIM 35 બેઠકો, આઝાદ સમાજ પાર્ટી 25 બેઠકો અને અપની જનતા પાર્ટી 4 બેઠકો પર ચૂંટણી લડશે. પાર્ટીના નેતાઓએ સાંપ્રદાયિક શક્તિઓનો સામનો કરવા માટે આ જોડાણ કર્યું હોવાનું જણાવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?