ચલાલા નગરપાલિકામાં ભાજપમાં આંતરિક ભૂકંપ
ચલાલા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપના 20 સભ્યોની અવિશ્વાસ દરખાસ્ત

ચલાલા નગરપાલિકા અને સભ્યોએ રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્ત

ચલાલા નગરપાલિકા અને સભ્યોએ રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્ત
અમરેલી જિલ્લામાં આવેલ ચલાલા નગરપાલિકામાં ભાજપના શાસનમાં જ આંતરિક રાજકીય ભૂકંપ સર્જાયો છે. નગરપાલિકાના કુલ 24માંથી 20 સભ્યોએ પોતાના જ પક્ષની મહિલા પ્રમુખ નયનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.
આ દરખાસ્તમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે સભ્યોની અવગણના, ગેરવહીવટ, અવિશ્વાસ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને સામાન્ય સભાઓ ન બોલાવવાની બાબતે સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી છે. જાણકારી મુજબ છેલ્લા સાત મહિનામાં માત્ર એકમાત્ર બજેટ બેઠક બોલાવવામાં આવી હતી, ત્યારબાદ કોઈ બેઠક યોજાઈ નથી.
વોર્ડ નંબર 3ની સભ્ય મુક્તાબેન પરમારે આ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે અને ચીફ ઓફિસરને ચેતવણી આપી છે કે 15 દિવસમાં સામાન્ય સભા બોલાવવામાં નહીં આવે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
આ આંતરિક વિખવાદને કારણે ચલાલા નગરપાલિકાની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે. ભાજપના તમામ સભ્યો હોવા છતાં બહુમતી સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકાતા પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશીઓ જોખમમાં મુકાઈ ગઈ છે. હવે આગામી દિવસોમાં ભાજપનું મોવડીમંડળ આ વિખવાદને કેવી રીતે શાંત કરે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?