સ્માર્ટ સિટીઓમાં ભ્રષ્ટાચાર આચરતાં સ્કેમ સિટી બની!
સ્માર્ટ સિટીના સપના દેખાડીને મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સરકાર નિષ્ફળ રહ્યાનો આક્ષેપ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ શહેરમાં પાણીના નિકાલનો સદંતર અભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ શહેરમાં પાણીના નિકાલનો સદંતર અભાવ
વર્ષ 2015માં કેન્દ્ર સરકારે ‘સ્માર્ટ સિટી’ નો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરીને ગુજરાતના 6 શહેરોનો તેમાં સમાવેશ કર્યો હતો. ‘સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ શહેરને આવરીને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવા છતાં નાગરિકો પાયાની સુવિધાથી વંચિત રહ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. નળ, ગટર, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પીવાના પાણી, વરસાદી પાણી ભરાવાની, ગંદા પાણીના નિકાલ જેવી સમસ્યાનો નિકાલ નહી થતાં ‘સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટ ‘સ્કેમ સિટી’ બની ગયો છે.
ગુજરાતની મહાનગરપાલિકાઓના વિકાસને લઈ રાજ્ય સરકાર મસમોટા બણગાં ફૂંકતી હોય છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. વિરોધ પક્ષ કોંગ્રેસે ગુજરાતના ‘સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટની વાસ્તવિક્તા ઉજાગર કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યુ કે, નળ, ગટર, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પીવાના પાણી, વરસાદી પાણી ભરાવાની, ગંદા પાણીના નિકાલ જેવી સમસ્યાનો નિકાલ નહી થતાં ‘સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટ ‘સ્કેમ સિટી’ બની ગયો છે.
તેમણે ઉમેર્યુ કે, સ્માર્ટ સીટી “સ્કીમ” હકીકતમાં ભાજપાના શાસકોએ બનાવી દીધી છે “સ્કેમ”, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સ્માર્ટ સિટીમાં પાણીના નિકાલ માટે યોગ્ય આયોજનનો સંદતર અભાવ જોવા મળ્યો છે. સ્માર્ટ સિટીમાં રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તા છે. ભાજપના ભ્રષ્ટ શાસકોના લીધે સ્માર્ટ સિટીની ઓળખ ભુવાનગરી અને બિસ્માર રસ્તા બની ગઈ છે. છેલ્લાં 10 વર્ષમાં ભાજપાના શાસકોએ ‘સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટ ભ્રષ્ટાચારમાં અવ્વલ બનાવી દીધો છે.
મનીષ દોશીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, અમદાવાદ સહિત 6 શહેરોને સ્માર્ટ સીટી મિશન હેઠળ 20 હજાર કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. તેમ છતાં શહેરો ‘સ્માર્ટ સિટી’ બની શક્યા નથી. ‘સ્માર્ટ સિટી’માં પણ પીવાના પાણી, વરસાદી પાણીના નિકાલની, ભૂગર્ભ ગટરની સમસ્યા યથાવત રહી છે.
અમદાવાદ શહેરનું 15,502 કરોડ, વડોદરા શહેરનું 5,558 કરોડ, સુરત શહેરનું 10,004 કરોડ, રાજકોટ શહેરનું 3118.28 કરોડ અને ગાંધીનગર શહેરનું 744.21 કરોડ મળીને કુલ 35,926 કરોડ જેટલું બજેટ થાય છે. તેમ છતાં નાગરિકો પાયાની સુવિધાથી વંચિત રહ્યા છે. છેલ્લાં 20 દરમિયાન ભાજપ શાસિત મહાનગરપાલિકાઓમાં બેફામ ભ્રષ્ટાચાર, ગેરકાયદે બાંધકામ, ટેક્ષના નામે લૂંટ થઈ રહી છે.
5 વર્ષમાં ડ્રેનેજ માટે 7 હજાર કરોડ, 1900 કરોડ ડ્રેનેજ ટેક્સ વસૂલવા છતાં બધું જ પાણીમાં!
ગુજરાતમાં 8 મનપા અને 157 નગરપાલિકા દ્વારા વર્ષ 2018-19 થી 2022-23 સુધીના પાંચ વર્ષમાં ડ્રેનેજ માટે 7 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ગુજરાત સરકારના ‘સ્ટેટીસ્ટિક્સ ઑફ મ્યુનિસિપલ ટાઉન એન્ડ સિટીઝ ગુજરાત' ના વર્ષ 2018-19થી 2022-23 રિપોર્ટ્સ મુજબ પાંચ વર્ષમાં મનપાએ લોકો પાસેથી ડ્રેનેજ ટેક્સ રૂપે 1900 કરોડ રૂપિયા વસૂલ્યા છે. છતાં પણ ચોમાસા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે.
નગરપાલિકાઓની ડ્રેનેજ ટેક્સ આવક વર્ષ 2018-19માં 334 કરોડ હતી. જે 2022-23માં 40 ટકા વધીને 471 કરોડ થઈ છે. જ્યારે 8 મનપા અને 157 નગરપાલિકા દ્વારા 2018-19માં 1167 કરોડ રૂપિયા ડ્રેનેજ ખર્ચ કરાયો હતો. જે 2022-23માં 50 ટકા વધીને 1743 કરોડ થયો હતો. 157 નગરપાલિકા દ્વારા માત્ર 8.53 ટકા એટલે કે 595 કરોડ ડ્રેનેજ ખર્ચ કરાયો છે.
જ્યારે 8 મહાનગરપાલિકા દ્વારા 6382 કરોડ ડ્રેનેજ ખર્ચ કરાયો છે. રાજ્યમાં સૌથી વધુ સુરત મનપાએ 3 હજાર કરોડ ડ્રેનેજ ખર્ચ કર્યો હતો. જૂનાગઢ મનપાએ 41 કરોડ ખર્ચ કર્યો હતો. અમદાવાદ મનપાએ સૌથી વધુ 947 કરોડ રૂપિયા ડ્રેનેજ ટેક્સ નાગરિકો પાસેથી વસૂલ્યો હોવાનો રાજ્ય સરકારના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.
પાણીના નિકાલ માટે 7 હજાર કરોડ વપરાયાં! (વર્ષ 2018-19થી 2022-23ના આંકડા કરોડમાં)
મનપા ડ્રેનેજ ટેક્સ ડ્રેનેજ ખર્ચ
સુરત 521.93 3126.16
અમદાવાદ 947.94 1805.94
વડોદરા 272.08 819.67
રાજકોટ 13.63 377.80
ભાવનગર 0.30 90.88
ગાંધીનગર ---- 78.80
જામનગર 8.49 41.31
જૂનાગઢ ---- 41.28
157 પાલિકા 133.97 595.78
કુલ ખર્ચ 1898.36 6977.66
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?