ચલાલા પ્રમુખ નયનાબેન વાળાનું અચાનક રાજીનામું
નયનાબેન વાળાનું અચાનક રાજીનામું, સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ
ચલાલા પ્રમુખનું રાજીનામું
ચલાલા પ્રમુખનું રાજીનામું
અમરેલી જિલ્લાના ચલાલામાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ શાસિત ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ અચાનક પોતાના પદેથી રાજીનામું આપી દેતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે. તેમણે જિલ્લા કલેકટરને પોતાનું લેખિત રાજીનામું સુપરત કર્યું છે.
રાજીનામા પાછળનું કારણ શું?
નયનાબેન વાળાએ રાજીનામા પાછળનું સત્તાવાર કારણ 'કૌટુંબિક કામકાજ' દર્શાવ્યું છે. તેમણે જણાવ્યું કે, કૌટુંબિક જવાબદારીઓને કારણે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી શકતા નથી. જોકે, આ સત્તાવાર કારણ ઉપરાંત અન્ય કેટલાક કારણો પણ ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ બન્યા બાદ લોકોના કામ ન થતા હોવા અને નગરપાલિકાના આંતરિક સભ્યો વચ્ચેના મતભેદો પણ રાજીનામાનું એક કારણ હોઈ શકે છે. આ આંતરિક કલહને કારણે તેમણે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.
આંતરિક જૂથવાદમાં રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ
નયનાબેન વાળાએ માત્ર પાંચ મહિનાના સમયગાળામાં રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમના પતિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને રાજીનામા અંગે જાણ કરી હતી. ત્યારબાદ આંતરિક જૂથવાદમાં રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. છેલ્લાં 5 મહિનાથી આંતરિક જૂથવાદ ચાલતો હોવાથી પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાને રાજીનામું આપવાની ફરજ પડી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.
સંપૂર્ણ બહુમતી હોવા છતાં રાજીનામું
ઉલ્લેખનીય છે કે, ચલાલા નગરપાલિકામાં કુલ છ વોર્ડ છે અને આ તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો ચૂંટાયેલા છે, એટલે કે ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે. આવી મજબૂત સ્થિતિ હોવા છતાં પ્રમુખનું રાજીનામું અનેક સવાલો ઊભા કરે છે. આગામી સમયમાં ભાજપ દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવશે. આ રાજીનામાથી ચલાલાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આગામી દિવસોમાં ભાજપ આ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.