નીતિશ કેબિનેટનો મોટો નિર્ણય, બિહારમાં બનશે માતા સીતાનું ભવ્ય મંદિર
બિહાર ચૂંટણી પહેલા કેબિનેટમાં મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે જેમાં સીતામાતાનું ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય લેવાયો

નીતિશનો ભવ્ય સીતામંદિર બનાવવાનો નિર્ણય

નીતિશનો ભવ્ય સીતામંદિર બનાવવાનો નિર્ણય
બિહારમાં આજે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 24 એજન્ડાને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સીતામઢી જિલ્લાના પુનૌરા ધામને અયોધ્યાની જેમ સંપૂર્ણપણે વિકસાવવા માટે એક મોટી યોજના બનાવવામાં આવી છે. આ કામ પર લગભગ 883 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ માહિતી ખુદ મુખ્યમંત્રી નીતિશે આપી છે. સરકારે આ યોજનાને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે સોશિયલ મીડિયા X પર ખૂબ આનંદ સાથે જણાવ્યું કે કેબિનેટે જગત જનની મા જાનકીના જન્મસ્થળ સીતામઢીના પુનૌરા ધામના સર્વાંગી વિકાસ માટે એક ભવ્ય મંદિર અને અન્ય માળખાં બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. કેબિનેટે પુનૌરા ધામના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરાયેલ ભવ્ય યોજના માટે 882 કરોડ 87 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. આ યોજના પર કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
વધુમાં કહ્યું, ઓગસ્ટ મહિના સુધીમાં તેનો શિલાન્યાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. અમે સીતામઢીના પુનૌરા ધામ ખાતે ભવ્ય મંદિરનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ. તેનો સર્વાંગી વિકાસ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, અયોધ્યાની તર્જ પર કરવામાં આવશે. પુનૌરા ધામ ખાતે મા જાનકીના ભવ્ય મંદિરનું નિર્માણ બધા દેશવાસીઓ અને ખાસ કરીને આપણા બધા બિહારીઓ માટે સૌભાગ્ય અને ગર્વની વાત છે.
નોંધનીય છે કે જેમ જેમ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ સરકાર પણ પોતાના કામમાં ઝડપ લાવી રહી છે. આ જ કારણ છે કે સતત બેઠકો યોજાઈ રહી છે. નીતિશ કેબિનેટની છેલ્લી બેઠક 24 જૂને યોજાઈ હતી, જેમાં કુલ 46 એજન્ડાને મંજૂરી આપવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?