PAK હુમલામાં 3 ક્રિકેટરોના મોત; ACBનો સિરીઝ રદ
ACBએ હુમલાને 'કાયરતાપૂર્ણ' ગણાવ્યો; રાશિદ ખાન સહિત ખેલાડીઓનો નિર્ણયને ટેકો

હુમલાના વિરોધમાં અફઘાનિસ્તાનનું મોટું પગલું

હુમલાના વિરોધમાં અફઘાનિસ્તાનનું મોટું પગલું
પાકિસ્તાન દ્વારા 17 ઓક્ટોબર, શુક્રવારના રોજ અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલાને કારણે ક્રિકેટ જગતમાં મોટો વિવાદ ઊભો થયો છે. આ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો - કબીર, સિબઘાતુલ્લાહ અને હારૂન - સહિત અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ મોટો નિર્ણય લીધો છે. ACB એ નવેમ્બરમાં પાકિસ્તાનની ધરતી પર યોજાનારી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની ત્રિકોણીય T20I શ્રેણીમાંથી ખસી જવાની જાહેરાત કરી છે.
ACBનો પાકિસ્તાન પર ગંભીર આરોપ
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક સત્તાવાર નિવેદન બહાર પાડીને આ હુમલાની સખત નિંદા કરી હતી. બોર્ડે આ હુમલાને પાકિસ્તાન સરકારનો "કાયરતાપૂર્ણ હુમલો" ગણાવ્યો હતો. ACB એ જણાવ્યું હતું કે આ ત્રણ મૃતક ક્રિકેટરો પક્તિકા પ્રાંતના શરણામાં એક મૈત્રીપૂર્ણ ક્રિકેટ મેચમાં ભાગ લેવા ગયા હતા અને ઉર્ગુન ઘરે પરત ફર્યા બાદ તેમને એક મેળાવડા દરમિયાન નિશાન બનાવવામાં આવ્યા હતા.
બોર્ડે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, "આ દુ:ખદ ઘટનાના પ્રતિભાવમાં અને પીડિતો પ્રત્યે આદર દર્શાવતા, બોર્ડે નવેમ્બરમાં પાકિસ્તાન સામેની ત્રિ-રાષ્ટ્રીય T20I શ્રેણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ અફઘાન રમતગમત સમુદાય અને ક્રિકેટ પરિવાર માટે એક મોટું નુકસાન છે."
રાશિદ ખાન સહિત ખેલાડીઓનો નિર્ણયને ટેકો
અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન અને સેદીકુલ્લાહ અટલે ACBના આ નિર્ણયને આવકાર આપ્યો છે. રાશિદ ખાને X પર લખ્યું કે, "નાગરિકોના જીવ ગુમાવવાથી હું ખૂબ જ દુઃખી છું. નાગરિક માળખાને નિશાન બનાવવું સંપૂર્ણપણે ખોટું અને બર્બરતાપૂર્ણ છે. હું આ મુશ્કેલ સમયમાં આપણા લોકોની સાથે ઉભો છું; આપણી રાષ્ટ્રીય ગરિમા પ્રથમ આવવી જોઈએ."
સેદીકુલ્લાહ અટલે પણ ઇન્સ્ટાગ્રામ પર દુઃખ વ્યક્ત કરીને આ અમાનવીય કૃત્યને અવગણવું ન જોઈએ તેમ જણાવ્યું હતું અને બોર્ડના નિર્ણયને ટેકો આપ્યો હતો.
નોંધનીય છે કે, પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદ પર તેની લશ્કરી છાવણી પર TTP દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલાના જવાબમાં પક્તિકા પ્રાંતના ઉર્ગુન અને બર્મલ જિલ્લા સહિત ત્રણ સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતા. જેમાં દસ નાગરિકો માર્યા ગયા અને 12 અન્ય ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.