દિવાળીના લીધે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ
ઉધના રેલવે સ્ટેશન પર હજારો મુસાફરોની ભીડ જામી, જેને પહોંચી વળવા 12 વધારાની ટ્રેનો દોડાવી

સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ

સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ
દિવાળીના તહેવારને લઈને સુરત શહેરમાંથી વતન જવા માટે પરપ્રાંતીય મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના મુખ્ય જંકશન, ઉધના રેલવે સ્ટેશન બહાર 'કિડિયારું ઉભરાયું' હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જ્યાં મુસાફરોએ લગભગ દોઢ કિલોમીટર સુધીની લાંબી લાઈન લગાવી છે. દિવાળીની રજાઓમાં ઉધના રેલવે સ્ટેશનથી ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડની 7 ટ્રેન મારફતે અંદાજિત 11 હજાર મુસાફરો પોતાના માદરે વતન પહોંચ્યા હતા. ટૂંક સમયમાં જ કુલ 70 હજારથી વધુ પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. આ વધતી જતી ભીડને પહોંચી વળવા માટે રેલવે તરફથી કુલ 12 જેટલી વધારાની ટ્રેન દોડાવાઈ છે.
ભીડ નિયંત્રણ માટે રેલવે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા
ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને ભીડ નિયંત્રણ માટે રેલવે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 2 દિવસ અગાઉ 7 હજાર જેટલા મુસાફરોએ જનરલ ટિકિટ પર બિહાર અને ઉત્તરપ્રદેશની યાત્રા શરૂ કરી હતી. ભીડને સંચાલિત કરવા માટે મોબાઈલ ટિકિટિંગની સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેના દ્વારા 3000 જેટલા મુસાફરોએ ટિકિટ લીધી હતી.
આ પણ વાંચો: અમદાવાદ-સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બંધ
ડ્રોનની મદદથી મુસાફરોની ગતિવિધિ પર સતત નજર
ક્લાર્કે જાતે પ્લેટફોર્મ અને હોલ્ડિંગ એરિયામાં જઈને 3000 મુસાફરોને ટિકિટ ઈશ્યૂ કરી હતી. આ મોબાઈલ ટિકિટિંગને કારણે મુસાફરોને ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી અને સ્ટેશન પરિસરમાં પણ ભીડ ઓછી થઈ. બુધવારે પણ ડ્રોનની મદદથી મુસાફરોની ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી હતી.
18 ઓક્ટોબરથી ટ્રેનમાં ભીડ બમણી થવાની સંભાવના
રેલવે તંત્રના અંદાજ મુજબ, 18મી ઓક્ટોબરથી ટ્રેનમાં ભીડ બમણી થવાની સંભાવના છે અને 17થી 20 ઓક્ટોબર સુધી ટ્રેનોમાં ભારે ભીડ રહેશે. આ ભારે ભીડને પહોંચી વળવા માટે ઉધના રેલવે સ્ટેશન સહિત સમગ્ર સુરત રેલવે ડિવિઝનમાં તમામ જરૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સુરત રેલવે સ્ટેશન પર પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
રિસાઈકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યો
60 MLD ક્ષમતાવાળો રિસાઈકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જેને કારણે રેલવે લોન્ડ્રીના ઉપયોગમાં લેવાતું પાણી રિસાઈકલ કરી ટ્રેનના કોચની ધોલાઈમાં ઉપયોગમાં લેવાશે. અત્યારસુધી લોન્ડ્રીનું પાણી ગટરમાં છોડી મૂકવામાં આવતું હતું, પરંતુ હવે આ પાણીનો પુનઃઉપયોગ કરીને પાણીનો વેડફાટ ઓછો કરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!