ધાતરવાડી નદીમાં ડૂબેલા 4માંથી 2ના મૃતદેહ મળ્યા
નદીમાં 4 યુવકો ડૂબ્યા હતા, જેમાંથી 1નો મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 2 યુવકોની શોધખોળ શરૂ

રાજુલા પોલીસ

રાજુલા પોલીસ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધારેશ્વર ગામ નજીક આવેલી ધાતરવાડી નદીમાં ગત 28 ઓક્ટોબરના રોજ એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બર્બટાણા ગામના 3 સગા ભાઈઓ સહિત કુલ 4 યુવકો ડૂબી ગયા હતા. આ ચારેય યુવકો ધાતરવાડી નદીમાં નહાવા અને માછલી પકડવા માટે ગયા હતા, તે દરમિયાન નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ દુર્ઘટનાના પગલે સ્થાનિક તંત્ર અને રાજકીય આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
યુવાનોની બર્બટાણા ગામના રહેવાસી
ઈન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણે માહિતી આપી હતી કે, 4 યુવકો ડૂબ્યાની જાણ થતાં જ પોલીસ, કોસ્ટગાર્ડ અને મામલતદાર સહિતનો કાફલો બચાવ કામગીરીમાં જોડાયો હતો. ડૂબી ગયેલા યુવાનોની ઓળખ બર્બટાણા ગામના રહેવાસીઓ તરીકે થઈ છે, જેમાં મેરામભાઈ પરમાર, કાના પરમાર, ભરત પરમાર અને પિન્ટુ વાઘેલાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: રીલ્સનો શોખ બન્યો જીવલેણ, 5 બાળકોના મોત
ઘટનાસ્થળથી 6 કિલોમીટર દૂર મૃતદેહ મળ્યો
દુર્ઘટના બાદ અમરેલી ફાયર વિભાગે સઘન શોધખોળ શરૂ કરી હતી. 29 ઓક્ટોબરના રોજ, અમરેલી ફાયર વિભાગે આખી રાત અને સવારની શોધખોળ બાદ ડૂબેલા યુવકોમાંથી સૌપ્રથમ મેરામભાઈ પરમારનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ, બીજા દિવસે વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. પિન્ટુ વાઘેલા નામના યુવકનો મૃતદેહ ઘટનાસ્થળથી આશરે 6 કિલોમીટર દૂર રાજુલાના ઝાંપોદર ગામની નદીમાંથી સ્થાનિકોને મળ્યો હતો. અત્યારસુધીમાં, આ દુર્ઘટનામાં ડૂબેલા 4માંથી 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.
અન્ય 2 યુવકોની શોધખોળ શરૂ
હાલમાં, બાકીના 2 યુવકો કાના પરમાર અને ભરત પરમારની શોધખોળ સતત ચાલુ છે. ધાતરવાડી નદીના પ્રવાહમાં આ 2 યુવકોને શોધવા માટે અમરેલી ફાયર વિભાગની ટીમની સાથે NDRFની ટીમ પણ જોડાયેલી છે અને સઘન બચાવ અને શોધખોળની કામગીરી ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!