મહેસાણા વિમાન દુર્ઘટના: તપાસમાં ચોંકાવનારા ખુલાસા
મહેસાણામાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનનો AAIB એ જારી કરયો તપાસ રિપોર્ટ, કારણ છે ચોંકાવનારુ

વિમાન દુર્ઘટનાનો રિપાર્ટ આવ્યો સામે

વિમાન દુર્ઘટનાનો રિપાર્ટ આવ્યો સામે
મહેસાણામાં 31 માર્ચ, 2025 ના રોજ મહેસાણા જિલ્લામાં બનેલી એક ખાનગી ઉડ્ડયન એકેડમીના વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બ્લુ રે એવિએશનનું સેસના 152 વિમાન, VT-PBA, ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયું હતું, જેમાં એક મહિલા પાયલટ ઈજાગ્રસ્ત થઈ હતી. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા શનિવારે (19 જુલાઈ) જાહેર કરાયેલા રિપોર્ટમાં અકસ્માતનું કારણ અને ઘટનાક્રમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
શું બન્યું હતું દુર્ઘટનાના દિવસે?રિપોર્ટ મુજબ, દુર્ઘટનાના દિવસે ટ્રેઇની પાયલટ એકલા ક્રોસ-કન્ટ્રી ઉડાન ભરી રહ્યા હતા. તેમને મહેસાણાથી બાંસવાડા અને ડીસા થઈને પરત મહેસાણા આવવાનું હતું. ઉડાન ભરતા પહેલા પાયલટનો પ્રી-ફ્લાઇટ બ્રેથલાઇઝર ટેસ્ટ સામાન્ય હતો. સવારે 9:46 વાગ્યે રનવે 05 પરથી વિમાને ઉડાન ભરી હતી. ટેકઓફ પછી શરૂઆતમાં વિમાનમાં કોઈ અસામાન્યતા જોવા મળી નહોતી.
ATC સાથે સંપર્ક તૂટ્યો: રહસ્યમય સંજોગોમાં ક્રેશપરંતુ, ડીસાથી પરત મહેસાણા આવતી વખતે વિમાનનો મહેસાણા એટીસી (એર ટ્રાફિક કન્ટ્રોલ) સાથે સંપર્ક તૂટી ગયો. એક આસિસ્ટન્ટ ફ્લાઇટ પ્રશિક્ષક (AFI) ના જણાવ્યા અનુસાર, ટ્રેઇની પાયલટે મહેસાણાથી 4 નોટિકલ માઇલ પહેલા 2000 ફૂટની ઊંચાઈએ હોવાની છેલ્લી જાણકારી આપી હતી. ત્યારબાદ વિમાન અને મહેસાણા એટીસી વચ્ચે કોઈ સંપર્ક થઈ શક્યો નહીં, અને સંસ્થાના ઘણા પ્રયત્નો છતાં સંપર્ક સ્થાપિત થઈ શક્યો નહીં.
આ પછી, ડેપ્યુટી ચીફ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને અન્ય એક ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર VT-PBA વિમાનને શોધવા માટે નીકળ્યા હતા, પરંતુ તેમને કોઈ સફળતા મળી નહોતી.
ઉચરપી ગામના ખેતરમાં વિમાન ક્રેશ: ગ્રામજનો બન્યા દેવદૂતઆખરે, બ્લુ રે એવિએશનનું સેસના 152 વિમાન મહેસાણાના ઉચરપી ગામના એક ખેતરમાં ક્રેશ થયેલું મળી આવ્યું. વિમાન ક્રેશ થતાં જ ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર (ELT) સક્રિય થઈ ગયું, જે દુર્ઘટનાના કિસ્સામાં આપમેળે સિગ્નલ મોકલે છે.
દુર્ઘટના બાદ, સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલ મહિલા પાયલટને બચાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી, જેનાથી તેમની જાન બચી શકી.
તપાસ રિપોર્ટના તારણો અને આગળની કાર્યવાહીAAIB ના રિપોર્ટમાં પાયલટ દ્વારા છેલ્લી વખત અપાયેલી માહિતી પર ભાર મૂકવામાં આવ્યો છે કે તેઓ મહેસાણાથી 4 નોટિકલ માઇલ પહેલા 2000 ફૂટની ઊંચાઈએ હતા. આ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના ઉડ્ડયન સુરક્ષાના મહત્વ અને આવી દુર્ઘટનાઓને રોકવા માટે સતત સુધારાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!