રાજ્યમાં વિદ્યાર્થીઓ વગરની પ્રાથમિક શાળાઓ થશે બંધ
ગુજરાત સરકારે શૂન્ય વિદ્યાર્થીઓ ધરાવતી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો
પ્રાથમિક શાળા
પ્રાથમિક શાળા
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના એક નવા પરિપત્ર મુજબ, તમામ DPEO અને કોર્પોરેશન સંચાલિત શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે, જે પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા શૂન્ય હોય તેવી શાળાઓને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. જો આ આદેશનું પાલન નહિ થાય તો સંબંધિત TPEO અને DPEO સહિતના અધિકારીઓની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવાનો છે.
શાળાઓની તપાસ અને ડેટા અપલોડ કરવાની સૂચના
શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયા બાદ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ DPEO અને શાસનાધિકારીઓને સૂચના આપી છે કે, 31 જુલાઈ સુધીમાં શાળામાં દાખલ થયેલા તમામ બાળકોની વિગતો CTS પોર્ટલ પર અપલોડ કરવી. આ ઉપરાંત SAS પોર્ટલ અને ટીચર પોર્ટલ પર પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિગતો અપડેટ કરવાની રહેશે. આ નવા નિયમો મુજબ, મુખ્ય શિક્ષક અને આચાર્યનું મહેકમ નક્કી કરવા માટે ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ સાથે બાલવાટિકાના વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઉમેરવામાં આવશે.
ખોટી સંખ્યા દર્શાવનાર પર થશે કાર્યવાહી
સરકારે આદેશ આપ્યો છે કે, દિવ્યાંગ બાળકોની માહિતી પણ અલગથી ભરવામાં આવે, જેમાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા બાળકોનો જ સમાવેશ થાય અને તેમની માહિતી UDID પોર્ટલ પર નોંધાયેલી હોવી જોઈએ. ખોટી સંખ્યા બતાવીને વધારાના શિક્ષકો મેળવવા અથવા મહેકમ જાળવવાની ઘટનાઓ બને તો આવી શાળાઓની વિગતોની ચકાસણી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાતે કરવાની રહેશે. જો શૂન્ય બાળકોવાળી શાળાઓ બંધ કરવામાં નહિ આવે તો TPEO, DPEO, અને એજ્યુકેશન ઓફિસરોની જવાબદારી નક્કી કરવામાં આવશે.
કેમ શાળાઓમાં વિદ્યાર્થીઓ નથી?
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા કથળવાનું એક મુખ્ય કારણ શાળાઓમાં પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવરનો અભાવ છે. એક વર્ષ પહેલાના ડેટા મુજબ, રાજ્યમાં 2574 શાળાઓ જર્જરિત હાલતમાં છે અને 7599 શાળાઓમાં પતરાની છત છે. આ ઉપરાંત, ધોરણ 8 પછી 23.28% વિદ્યાર્થીઓ ધોરણ 9 માં પ્રવેશ મેળવતા જ નથી. ડ્રોપ આઉટ રેશિયો ઘટવાને બદલે વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, શિક્ષણ વિભાગે 'સ્કૂલ ઓન વ્હીલ' પ્રોજેક્ટ હેઠળ કચ્છ, મોરબી, પાટણ, અને સુરેન્દ્રનગર જિલ્લામાં અગરિયાઓના બાળકો માટે 38 મોબાઈલ શાળાઓ શરૂ કરી છે. આ ઉપરાંત, પ્રાથમિક શાળાઓમાં 38 હજારથી વધુ શિક્ષકોની ઘટ પણ એક ગંભીર સમસ્યા છે.
રાજ્યમાં શિક્ષકો અને આચર્યોની અછત
રાજ્યમાં આચાર્યો, ઉચ્ચતર શિક્ષકો, માધ્યમિક શિક્ષકોની ખૂબ જ અછત છે. સિનિયર શિક્ષકો કરતા પણ આચાર્યોને પગાર ઓછો મળતો હોવાથી કોઈ પ્રિન્સીપાલ બનવા તૈયાર નથી. ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં માત્ર 450 જગ્યા પર આચાર્યની ભરતી થઈ છે. જ્યારે 850 જેટલા આચાર્યોની જગ્યા હજુ ખાલી પડી છે. તેમજ 1500 જેટલા ઉચ્ચતર શિક્ષકો અને 2021 જેટલા માધ્યમિક શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ તમામ ખાલી જગ્યાઓ પર બીજો સ્પેશ્યલ રાઉન્ડ કરીને ઓગસ્ટ મહિના સુધી ભારતી કરવા આવે તેવી અમે માંગ કરી છે.
---

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.